બજેટમાં શું મહત્વની યોજના જાહેર થઈ શકે છે ? જુઓ
કેન્દ્રના બજેટને હવે બહુ દિવસોની વાર નથી અને તે પહેલા દેશના અનેક સેક્ટરો દ્વારા પોતપોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી દેવાઈ છે અને આ દરમિયાન એવા સંકેત બહાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર કર્મીઓ અને પેન્શનધારકોને રાજી કરી શકે છે અને 8 મા વેતન પંચના અમલની જાહેરાત કરી શકે છે.
કર્મીઓના સંઘના મહાસચિવ યાદવે કેબિનેટ સચિવને પત્ર પાઠવી આ મુજબની માંગ કરી હતી અને નાણામંત્રી નિર્મલા આ માંગ પર ગંભીરતા સાથે વિચાર કરવાના છે અને મોટી સોગાદ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત અન્ય વર્ગો માટે પણ ખાસ જાહેરાતો થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
દરમિયાનમાં કેન્દ્ર સરકાર ચુંટણી પ્રચારમાં અપાયેલ વાયદા પૂરા કરવાનો પણ પ્રયાસ કરશે તેવા સંકેત મળ્યા છે અને તેના ભાગરૂપે હેલ્થ માટે બહુ મોટી જાહેરાત બજેટમાં થઈ શકે છે. દેશમાં વાયોવૃધ્ધો માટે ખાસ રાહત જાહેર થઈ શકે છે અને એમને રૂપિયા 5 લાખ સુધીનું આરોગ્ય કવચ મળી શકે છે. આ વર્ગને આયુષમાન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે તેમ મનાય છે.
આ વખતે મોદી સરકાર -3 ના બજેટમાં હેલ્થ માટે વધુ ફાળવણી થવાની છે તે નિશ્ચિત મનાય છે. આ પહેલા પણ અનેક મંત્રીઓ અને નાણામંત્રી દ્વારા પણ આ બાબતમાં ઈશારો થયો હતો અને લોકોને તેમ,જ ખાસ કરીને મોટી વયના વડીલોને મફત સારવારનો લાભ આપવાની સરકારની યોજના છે.
વડીલોને આયુષમાન ભારત યોજના હેઠળ લાવવામાં આવશે તો તેનાથી દેશના 4 કરોડ આવા લોકોને રાહત મળશે અને એમના આરોગ્યની જાળવણી માટે કોઈ નાણાકીય તકલીફ પડશે નહીં.