મુંબઇમાં બાબા સિદ્દિકીની હત્યામાં અત્યાર સુધી શું બહાર આવ્યું ? કોણ પકડાયા ?
મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવારના કદાવર નેતા બાબા સિદ્દિકીની શનિવારે રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ચાર લોકોને સોપારી આપીને ઘટનાને અંજામ આપ્યાનો દાવો કરાયો હતો. ત્યારે રવિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ પોસ્ટની પુષ્ટી થઇ શકી નથી. તપાસ એજન્સીઓ એવો દાવો પણ કરે છે કે આ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. મુંબઈ પોલીસે એમ કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ કિલિંગ છે અને માસ્ટરમાઇન્ડની શોધ છે. આવી પોસ્ટ મુકનારનું નામ શુબુ લૉકર છે. તેણે પોસ્ટમાં લોરેન્સ બિશનોઈ અને અનમોલ બિશનોઈને ટેગ કર્યા છે.
જોકે હજુ તપાસ એજન્સીઓ આ પોસ્ટને વેરિફાઈ કરવાના પ્રયાસો કરી રહી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘સલમાન ખાન અમે તારી જોડે યુદ્ધ કરવા માગતા નહોતા પણ તે અમારા ભાઈનું નુકસાન કરાવ્યું. પોસ્ટમાં દાઉદ અને બાબા સિદ્દિકીનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ એમાં લખ્યું છે કે અમારી કોઈની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેંગની હેલ્પ કરશે તેણે પોતાનો હિસાબ કિતાબ રાખવો પડશે.’
ધર્મરાજ અને ગુરમેલ સિંઘ ઝબ્બે, 2 ની શોધ
દરમિયાનમાં પોલીસે હત્યા અંગે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંઘ નામના 2 યુવકોની ધરપકડ કરી હતી અને ત2 આરોપી શિવ કુમાર અને ઝિશન અખ્તર ફરાર છે અને તેને પકડવા માટે અલગ અલગ રાજ્યોમાં પોલીસની 15 ટીમો રવાના થઈ છે. ગુરમેલ હરિયાનોઅને ધર્મરાજ યુપીનો છે શિવકુમાર પણ યુપીનો રહેવાસી છે.
50 હજારની સોપારી અપાઈ
પોલીસ સૂત્રોએ એવી માહિતી આપી હતી કે શૂટર ધર્મરાજ અને શિવ કુમાર એક જ ગામના રહેવાસી છે. તેઓ ગંડારા ગામના છે અને બાજુ બાજુમાં જ ઘર છે. એમને આ હત્યા માટે રૂપિયા 50 હજારની સોપારી મળી હતી. બંને પૂણેમાં એક ભંગારના ગોડાઉનમાં કામ કરતાં હતા. બાબા સિદ્દિકી પર બે મહિનાથી એમણે નજર રાખી હતી.
ગણેશોત્સવમાં જ મારવાનો પ્લાન હતો
પોલીસે એમ પણ કહ્યું છે કે બંને આરોપીઓએ એવી કબૂલાત કરી હતી કે ગણેશોત્સવ દરમિયાન જ બાબા સિદ્દિકીની હત્યા કરવાનો એમનો પ્લાન હતો પણ પછી પ્લાન ફેરવી દેવાયો હતો. શૂટરોએ 9 એમમેમ પિસ્તોલથી 6 રાઉન્ડ ફાયર કર્યા હતા. આ પિસ્તોલ પોલીસે કબજે કરી છે. આ પિસ્તોલ આરોપીઓને કુરિયર મારફત મોકલવામાં આવી હતી.
કુર્લામા ભાડેથી રહેતા હતા, 25 દિવસ રેકી કરી
આરોપીઓ પોલીસ સામે પોપટ બની ગયા હતા અને એમણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે અમે કુર્લા ખાતે મહિને રૂપિયા 14 હજાર ભાડેથી એક મકાનમાં રહેતા હતા અને બાબા સિદ્દિકીની હત્યા કરવા માટે 25 દિવસ સુધી રેકી કરી હતી. બાબા કેટલા વાગે ક્યાં જાય છે અને ક્યારે નીકળે છે તે બધા રૂટ જોઈ લીધા હતા.