લખનૌમાં બેન્ક લૂટનારા બે બદમાશોનું શું થયું ? વાંચો
લખનૌના ગોમતીનગરમાં સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બૅંકમાં થયેલી લૂટ મામલે બે બદમાશોનું મંગળવારે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. એક બદમાશનું ગાઝીપુરમાં તો બીજાનું લખનૌમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ બંને બદમાશોનું એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. તેમના અન્ય ૩ સાથી પણ ઝડપાઇ ગયા છે. અન્ય સાથી પણ ઝડપાઇ જબાવના છે તેમ પોલીસે કહ્યું હતું.
ગાઝીપુરમાં બિહારના નિવાસી બદમાશ સન્નીદયાળ અને બદમાશ સોબિંદ કુમારે પોલીસ પર ગોળીબાર કર્યો હતો અને સ્વબચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં બંને ઠાર થયા હતા. એક લૂટારાણે રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતોપરંતુ તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું.
આ બંને બદમાશો પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. લૂટની આ ઘટનાને 7 ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી હવે બે ના મોત થઈ ગયા છે. પોલીસની આગળની કાર્યવાહી ચાલું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારા ચોકીના ઇન્ચાર્જે ચેકિંગ દરમિયાન બે મોટરસાઇકલ સવાર શંકાસ્પદોને અટકાવ્યા હતા. બંને ગભરાઈને બિહાર બૉર્ડર તરફ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું હતું. જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો તો બદમાશોએ ફાયરિંગ શરુ કરી દીધું.
બંને પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ, બૅંકમાંથી ચોરી કરાયેલા કેટલાક દાગીના અને 35500 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પકડાયેલા ૩ સાથીઓની પૂછપરછમાં બીજા આરોપીઓના સગડ પણ મળશે.