સેનાના વિમાન સાથે શું થયું ? વાંચો
ક્યાં થયું વિમાન ક્રેશ ?
રાજસ્થાનના જેસલમેરમાં સેનાના યુધ્ધ અભ્યાસ વચ્ચે સેનાનું એક ફાઇટર વિમાન તેજસ ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો હતો. પાયલોટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢ્યો હતો. જો કે બીજો પાયલટ ઘાયલ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.
ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.
વાયુ સેના તરફથી આ બાબતએ એવી માહિતી અપાઈ હતી કે રહેણાંક વિસ્તાર જવાહર નગરમાં આ વિમાન ક્રેશ થયું હતું અને ત્યારબાદ તેમાં આગ પણ લાગી ગઈ હતી. જો કે કોઈ ગ્રામવાસી ઘાયલ થયા નથી.
ઘટના બાદ તરત જ ફાયર ફાઇટરો પહોંચી ગયા હતા. આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયાનું માનવામાં આવે છે.