યુપીના બહેરાઇચમાં થયેલી હિંસાના આરોપીઓ સાથે શું થયું ? જુઓ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાના બે મુખ્ય આરોપીઓનું ગુરુવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બંનેને પોલીસે પગમાં ગોળી મારી હતી. ઘાયલ અવસ્થામાં એમને દવાખાને ખસેડાયા હતા. બંને આરોપીઓ ફહીમ તાલિબ અને સરફરાઝ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. નેપાળ-બેહરાઇચ બોર્ડર પાસે આ ઘટના બની હતી. ગુરુવારે પોલીસે રામગોપાલ મિશ્રાની હત્યા કેસમાં મુખ્ય 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસની ટીમ ઘટનાના દિવસથી જ બંને આરોપીઓને શોધી રહી હતી. જો કે આજે પોલીસને બંને આરોપીનું લોકેશન મળી આવ્યું હતું, જેમાં બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહિમ તાલિબ છે. આ બંને આરોપી અબ્દુલ હમીદના પુત્ર છે.
પાંચ આરોપીને ઝડપી લેવાયા
એડીજી લૉ એન્ડ ઓર્ડર અમિતાભ યશે મીડિયાને જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી, પરંતુ પોલીસે પાંચ આરોપીઓ ઝડપી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એન્કાઉન્ટરમાં બે લોકોને ગોળી વાગી છે. આ મુદ્દે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠકનો દોર શરૂ થઈ ગયો હતો. બેઠકમાં એડીજી કાયદો અને વ્યવસ્થા સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.