શું થયું બજરંગ પુનિયા સાથે ? વાંચો
દેશના સ્ટાર ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને લઈ સૌથી આકરું પગલું લેવાયું હતું. કુસ્તીબાજ બજરંગ પુનિયા માટે પેરિસ ઓલિમ્પિકમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. , રવિવારના રોજ રાષ્ટ્રીય એન્ટિ ડમ્પિંગ એજન્સી નાડાએ આ સ્ટાર રેસલરને ડોપ ટેસ્ટ ન કરાવવા બદલ કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કડક પગલાને કારણે બજરંગ પુનિયાના પેરિસ ઓલિમ્પિકમાં રમવા અંગે સસ્પેન્સ વધી ગયું છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ સસ્પેન્ડ કરી દીધા છે. નાડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે તેની પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને મોટો ફટકો પડ્યો છે. ડોપ સેમ્પલ ન આપવા બદલ નાડાએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે માર્ચમાં સોનીપતમાં આયોજિત ટ્રાયલ બાદ બજરંગ પુનિયાએ ડોપ ટેસ્ટ આપ્યો ન હતો.
હવે જો તેના પર લગાવવામાં આવેલો આ પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો તે પેરિસ ઓલિમ્પિકની અંતિમ ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનિય છે કે, ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારત માટે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિક 2020માં તેણે 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.