બિહારમાં કેવી ઘટના બની ? જુઓ
હિંસામાં કોનું મોત થયું ?
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે તેના એક દિવસ પહેલા પટણામાં હિંસક ઘટના બની હતી અને બાબાસાહેબ આંબેડકરને લઈને થયેલા વિવાદમાં અનુસસુચિત જાતિના એક જૂથ અને યાદવ જૂથ વચ્ચે હિંસક ટક્કર થઈ હતી અને ગોળીબાર થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 3 ઘાયલ થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ સરકારી જમીન પર કેટલાક લોકો આંબેડકરની પ્રતિમા લગાવી રહ્યા હતા અને યાદવ જૂથ દ્વારા તેનો વિરોધ કરાયો ત્યારે બંને વચ્ચે હિંસક ટક્કર થઈ હતી અને એક જૂથ દ્વારા ગોળીબાર કરાતાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 3 ઘાયલ થયા હતા.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ટેન્શન ફેલાઈ જતાં પોલીસનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસને જાણ થતાં તરત જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં કેટલાક લોકો લોહીથી લથબથ પડેલા મળ્યા હતા. આ બારામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.