બિહારમાં બંધના એલાનને પગલે શું થયું ? કેવો મળ્યો ટેકો ? વાંચો
બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે બીપીએસસી ઉમેદવારોના સમર્થનમાં બિહાર બંધનું એલાન આપ્યું હતું. જો કે તેને આંશિક ટેકો મળ્યો હતો. રવિવારે બિહારમાં વિદ્યાર્થીઓ સાથે તેમના સમર્થકો વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પપ્પુ યાદવને કસ્ટડીમાં લેવામાંઆવ્યા હતા. ઘણી જગ્યાએથી આગચંપીનાં ચિત્રો સામે આવ્યા હતા. તેમના સમર્થકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને અશોક રોડ પર ટાયરો સળગાવ્યા હતા. પટણામાં ટેન્શન છવાયેલુ હતું અને પોલીસની દોડાદોડી ચાલુ જ રહી હતી.
પપ્પુ યાદવ ઉમેદવારોના સમર્થનમાં માંગ કરી રહ્યા છે કે પરીક્ષા રદ કરીને ફરીથી યોજવી જોઈએ. પપ્પુ યાદવ સહિત ઘણા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. . ‘બિહાર બંધ’ અંગે પપ્પુએ કહ્યું કે સરકારને સત્ય કહેવું પડશે. જે લોકો વિદ્યાર્થી વિરોધી છે, તેમના રામ-રામ જ સત્ય છે. બિહારના લોકો રસ્તા પર છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. બધા બિહાર બંધને સમર્થન આપી રહ્યા છે.
પ્રશાંત કિશોર પર હુમલો કરતી વખતે, પપ્પુ યાદવે કહ્યું કે ‘ચોર મચાયે શોર ‘. પ્રશાંત કિશોર ભાજપનો સૌથી મોટો દલાલ છે. આ અંગે પ્રશાંત કિશોરે ભૂખ હડતાળ પણ કરી હતી. તાજેતરમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની તબિયત લથડી, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, હવે તેમને રજા આપવામાં આવી છે.