ક્લાઇમેટ ચેન્જની શું ઘાતક પર શું અસર થશે ? વાંચો
નિષ્ણાતોએ શું કહ્યું ?
દેશમાં કુદરતી આફતોનો ખતરો વધી રહ્યો છે અને તેના માટે ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે અને તેના માટે આપણે એટલે કે માનવ વસ્તી જ જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં ફેરફાર થવાને લીધે તેની આજુબાજુના વિસ્તારોમાં લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. 1 કરોડ લોકો માટે ગંભીર સંકટ આવી શકે છે.
નિષ્ણાતોએ આપેલા રિપોર્ટમાં ત્રણેય નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર પર નદીના બેસિન મેનેજમેન્ટ માટે ક્લાઈમેટ અંગે ફ્લેક્સિબલ દૃષ્ટિકોણની જરૂર છે. હિંદુ કુશ હિમાલય દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના અમુક ભાગોના ફ્રેશ પ્રાણીના સ્ત્રોત છે. તેનું બરફ, ગ્લેશિયરો અને વરસાદથી આવતું પાણી એશિયાની 10 સૌથી મોટી રિવર સિસ્ટમને મદદ કરે છે.
સામાન્ય રીતે ભારતમાં રહેતા 60 કરોડથી વધુ લોકો માટે પવિત્ર અને જરૂરી મનાતી ગંગા બેસિન વધતાં પર્યાવરણીય ખતરાનો સામનો કરી રહી છે. ઝડપથી ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને ખેતીની બદલાતી પદ્ધતિઓએ નદીના પારિસ્થિતિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી છે.
રિપોર્ટમાં એ વાત ઉપર પણ ભાર મૂકાયો છે કે સીવેજ અને ઔદ્યોગિક કચરો અંધાધૂંધ રીતે ઠલવાતા પાણી ગંભીર રીતે પ્રદૂષિત થયું છે. તેના લીધે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ખતરો પેદા થયો છે. આ પ્રવૃત્તિઓની સાથે સાથે ક્લાઈમેટ ચેન્જની અસર, ખાસ કરીને વધતી જતી પૂરની ઘટનાઓ અને દુષ્કાળ ચિંતા વધારી રહ્યા છે.