શંભુ બોર્ડર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
શંભુ બોર્ડર પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે શંભુ બોર્ડર અત્યારે નહીં ખુલે અને યથાસ્થિતિ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જ્યાં સુધી સમિતિની રચના ન થાય ત્યાં સુધી પંજાબ અને હરિયાણા સરકારોએ શંભુ સરહદ પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. ખેડૂતો સાથે પંજાબ અને હરિયાણા સરકાર વાત કરે.
કોર્ટે કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વિશ્વાસનો અભાવ છે. આ ઉણપને દૂર કરવા અને ખેડૂતોની માંગનો ઉકેલ શોધવા માટે કોર્ટે સ્વતંત્ર સમિતિની રચના કરવાની સૂચના આપી છે. આ સમિતિમાં પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરશે.
‘કેટલાક પગલાં લેવા પડશે’
જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું હતું કે ‘નિષ્પક્ષ મધ્યસ્થી’ની જરૂર છે જે ખેડૂતો અને સરકાર વચ્ચે વિશ્વાસ બનાવી શકે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બનેલી બેંચે કહ્યું, “તમારે ખેડૂતો સુધી પહોંચવા માટે કેટલાક પગલાં ભરવા પડશે. નહીં તો તેઓ શા માટે દિલ્હી આવવા ઈચ્છશે? તમે અહીંથી મંત્રીઓને મોકલી રહ્યા છો, પરંતુ તેમના સારા ઇરાદા છતાં વિશ્વાસનો અભાવ છે.
યથાસ્થિતિનો આદેશ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ‘એક સપ્તાહની અંદર યોગ્ય સૂચનાઓ લેવામાં આવે. ત્યાં સુધી, શંભુ બોર્ડર પર સ્થિતી વણસે નહીં તે માટે, સુપ્રીમ કોર્ટ હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં અંબાલા નજીક શંભુ બોર્ડર પરથી બેરિકેડ હટાવવાના હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.