વારાણસીમાં વડાપ્રધાને શું કહ્યું ? કેટલા કરોડની યોજનાઓની ભેટ આપી ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ હોસ્પિટલ વારાણસી અને આ ક્ષેત્રના ઘણા લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરશે અને તેમને પ્રકાશ તરફ લઈ જશે. આ હોસ્પિટલ વૃદ્ધોની પણ સેવા કરશે અને બાળકોને પણ પ્રકાશ આપશે. અહીં મોટી સંખ્યામાં ગરીબો મફતમાં સારવાર લેવા જાય છે. આ હોસ્પિટલ અહીંના યુવાનો માટે રોજગારીની તકો લઈને આવી છે.
વડાપ્રધાને વારાણસીને રૂપિયા 3344 કરોડની પરિયોજનાઓની ભેટ આપી હતી. વારાણસીમાં ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. હજારો લોકો એમના અભિવાદન માટે હાજર રહ્યા હતા. દેશને કૂલ 6600 કરોડની યોજનાઓની પણ એમણે ભેટ આપી હતી.
ત્યારબાદ એમણે રીવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને સંબોધન કરતાં કહ્યું હતું કે દેશમાં 15 લાખ કરોડના વિકાસના કામો શરૂ થયા છે અને દેશભરમાં હજારો યુવકોને રોજગાર મળશે.યુપીમાં પહેલાંની સરકારોએ કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હતા પણ અમે જનતાના નાણા જનતા માટે જ ખર્ચ કરી રહ્યા છીએ. પહેલા યુપીના વિસ્તારોમાં મગજના તાવથી બાળકો મૃત્યુ પામતા હતા અને આજે અહીં આવા 100 કેન્દ્રોમાં સારવાર મળે છે.
મોદીએ કહ્યું કે કાશીને પ્રાચીન સમયથી ધર્મ અને સંસ્કૃતિની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે કાશી ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલના મોટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. કાશીને અનાદિ કાળથી ધર્મ અને સંસ્કૃતિની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે કાશી ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલના મોટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે.
પવિત્ર માસમાં કાશી આવ્યો
‘આ પવિત્ર મહિનામાં કાશી આવવું એ પુણ્યનો અનુભવ કરવાનો અવસર છે’
વડાપ્રધાને કહ્યું કે આ પવિત્ર મહિનામાં કાશી આવવું એ પુણ્યનો અનુભવ કરવાનો અવસર છે. અહીં ફક્ત આપણા કાશીવાસીઓ જ નથી, સંતો અને પરોપકારીઓનો પણ સંગાથ છે. આનાથી વધુ સુખદ સંયોગ કયો હોઈ શકે? હવે મને પરમ પૂજનીય શંકરાચાર્યજીના દર્શન કરવાનો, પ્રસાદ અને આશીર્વાદ લેવાનો લહાવો મળ્યો છે.