ધનખડ મામલે જાટ સમુદાયે શું કહ્યું ? વાંચો
- કેવી ધમકી આપી ?
- કોણે શું કહ્યું ?
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી વિવાદમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ બાદ હવે જાટ સમુદાયે પણ ધનખડના સમર્થનમાં દેખાવો કરવાનું શરૂ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તૃણમૂલ નેતા કલ્યાણને કહેવામાં આવ્યું છે કે તેઓ માફી માગે. બુધવારે જાટ સમુદાયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડના સમર્થનમાં દેખાવ કર્યા હતા.
પાલમ ખાપમંત્રી ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ કહ્યું કે સમુદાયની બેઠક એટલા માટે બોલાવાઇ છે કેમ કે એક ખેડૂત પરિવારનું અપમાન કરાયું છે. તૃણમૂલ નેતાએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને દેશભરના લાખો ખેડૂતોની માફી માગવી જોઈએ. નહીંતર અમે એક મોટી બેઠક બોલાવીશું. ટીએમસી વિરુદ્ધ દેખાવો કરાશે.
આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીનું નામ પણ સામે આવ્યું છે કેમ કે સમગ્ર ઘટનામાં તેમનું વલણ બેજવાબદાર અને હાસ્યાસ્પદ હતું. અમારી એકમાત્ર માગ એ છે કે એક ખેડૂત પરિવારનું અપમાન સહન નહીં કરીએ.
