રામ રહીમની પેરોલ સામે કોર્ટે શું કહ્યું ? જુઓ
અદાલતે શું સૂચના આપી ?
ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને વારંવાર પેરોલ આપવાના મામલામાં પંજાબ -હરિયાણા હાઇકોર્ટે સખત વલણ લીધું હતું. અદાલતે એવો આદેશ આપ્યો હતો કે હવે ભવિષ્યમાં તેને કોર્ટની પરવાનગી વિના પેરોલ આપવી નહીં. બાબા રામ રહીમની પેરોલ 10 મી માર્ચે પૂરી થઈ રહી છે અને તે જ દિવસે તેને સરેન્ડર કરવાની સૂચના અપાઈ છે.
આ બારામાં સુનવણી દરમિયાન હાઇકોર્ટની બેન્ચે હરિયાણા સરકારને એવો સવાલ કર્યો હતો કે રામ રહીમની જેમ બીજા કેટલા લોકોને આ રીતે પેરોલ આપવામાં આવી છે. આ કેસની હવે પછીની સુનવણીમાં માહિતી આપવાની પણ સરકારને સૂચના અપાઈ હતી.
બાબા રામ રહીમને વારંવાર અપાઈ રહેલી પેરોલ સામે એસજીપીસીએ હાઇકોર્ટમાં પડકાર ફેક્યો હતો. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે બાબાને સજા પણ થઈ ચૂકી છે અને આ રીતે તેને વારંવાર પેરોલ આપવી જોઈએ નહીં.