પ્રશાંત કિશોરે શું કરી જાહેરાત ? શું બનાવશે ? વાંચો
ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે ચુંટણીના મેદાનમાં ઉતરવાના છે. રવિવારે એમણે એવી જાહેરાત કરી હતી કે 2 જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે જન સુરાજને એક રાજકીય પાર્ટી તરીકે લોન્ચ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત કરનાર પ્રશાંત કિશોરે તૈયારી શરૂ કરી દીધી છે.
રવિવારે પટણામાં એક કાર્યશાળા યોજાઇ હતી જેમાં જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. કિશોરે આ તકે કહ્યું હતું કે 2 જી ઓક્ટોબરે પાર્ટી બનશે અને તેનું સંચાલન પાંચ વર્ગોમાં વિભાજિત કરાશે .નેતૃત્વ કોઈ એક જ વર્ગ પાસે રખાશે નહીં.
કિશોરે એવી માહિતી આપી હતી કે જન સુરાજ પાર્ટી બનશે પછી તેનું નેતૃત્વ જનરલ, ઓબીસી, મુસ્લિમ એમ પાંચ વર્ગોમાં વિભાજિત કરાશે. બધા જ વર્ગોને એક વર્ષ માટે મોકો અપાશે. બીજા વર્ષે બીજા વર્ગને કમાન સોંપાશે.
પાંચ વર્ષમાં બધા જ પાંચ વર્ગોને કામ કરવા અને કામ બતાવવાનો અવસર મળી જશે. પાર્ટી બનાવવાની તૈયારી માટે બિહારમાં અભિયાન સાથે જોડાયેલા દોઢ લાખ પદાધિકારીઓની અલગ અલગ જિલ્લાઓમાં બેઠકો થઈ રહી છે.