ભારતે પાકને શું કહ્યું કે ફફડી ગઈ પાક સરકાર ? જુઓ
- કોની માંગણી કરી ?
- કોણે અહેવાલો આપ્યા ?
ભારતે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તોયબાના વડા હાફિઝ સઇદને ભારત લાવવાની દિશામાં મહત્વનું પગલું લીધું છે. ભારતે સાફ શબ્દોમાં પાકને કહી દીધું છે કે હાફિઝ ભારતને હવાલે કરવામાં આવે. પાકિસ્તાની મીડિયાએ આ મુજબની વાત વહેતી કરી હોવાનું બહાર આવ્યું છે. હાફિઝ મુંબઈ પરના આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. ભારતે કહી દીધું છે કે હાંફીઝનું પ્રત્યાર્પણ કરવામાં આવે. જો કે પાક સરકારે આ બારામાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતનું વિદેશ મંત્રાલય પણ ખામોશ છે ત્યારે કઈક નવાજૂની થવાની શંકા પણ પ્રબળ બની છે.
આ દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે અને તેના કારણે પાકિસ્તાનમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી જવાની શક્યતા છે. પાકિસ્તાની મીડિયાનુ કહેવુ છે કે, મોદી સરકારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને સત્તાવાર પત્ર પણ સોંપ્યો છે. ભારતની માંગણી બાદ પાકિસ્તાની સરકાર બરાબર ફસાઈ છે.
પાકિસ્તાની મીડિયાએ કહ્યુ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ખબરનુ સમર્થન પણ નથી કર્યુ અને તેને રદિયો પણ નથી આપ્યો. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર એઝાઝ સઈદના કહેવા પ્રમાણે પાકિસ્તાન હાફિઝ સઈદને ભારતને સોંપી દેવી કોઈ શક્યતા નથી. હાલમાં હાફિઝ સઈદ જેલમાં છે અને પાકિસ્તાનની ચૂંટણીમાં પણ તેનો ખાસો પ્રભાવ પડશે. તેનો પુત્ર પણ ચુંટણી લડવાનો છે.
ભારતે પ્રત્યાર્પણની માંગ એવા સમયે કરી છે જ્યારે હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે એલાન કર્યુ છે કે, પાકિસ્તાનમાં આગામી વર્ષે થનારી ચૂંટણીમાં અમે ભાગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદ પુલવામા તેમજ મુંબઈ પર થયેલા આતંકી હુમલા સહિત ઘણા હુમલાનો માસ્ટર માઈન્ડ છે.
યુએન દ્વારા પણ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાએ તેના પર એક લાખ ડોલરનુ ઈનામ જાહેર કરેલુ છે. વૈશ્વિક સ્તરે આતંકી જાહેર થયા પછી પણ પાકિસ્તાનમાં તેની પાર્ટીને ચૂંટણી લડવા માટે પરવાનગી મળેલી છે. હાફિઝે પાકિસ્તાનમાં દરેક સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેનો પુત્ર તલ્હા પણ ચૂંટણી લડવા જઈ રહ્યો છે.