શું કહ્યું દિગ્વિજયસિંઘે ? વાંચો
કમલનાથ વિષે શું બોલ્યા ?
કમલનાથ કમળપૂજા કરવાના છે અને કોંગ્રેસનો હાથ છોડવાના છે તેના અનેક સંકેત મળ્યા છે છતાં કોંગ્રેસના ટોચના નેતા દિગ્વિજયસિંઘ હજુ પણ એમ બોલી રહ્યા છે કે કામલનાથ ક્યાંય જશે નહીં અને મારી વાત એમની સાથે ચાલુ જ છે. સાથોસાથ એમણે કમલનાથને કોંગ્રેસના ઉપકારો પણ યાદ અપાવ્યા હતા. સિંઘે કહ્યું હતું કે કોંગ્રેસે કમલનાથને શું નથી આપ્યું ? સીએમ બનાવ્યા,મંત્રી બનાવ્યા,પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ઈન્દિરાજીએ એમને ત્રીજા પુત્રનું સન્માન આપ્યું હતું.
સિંઘે મીડિયાને કહ્યું હતું કે હું સતત કમલનાથની સાથે જ છું. હાઇકમાન્ડ પણ એમની સાથે ચર્ચા કરી રહ્યું છે. મને લાગે છે કે તેઓ પાર્ટીનો સાથ નહીં છોડે.