જમ્મુ-કાશ્મીરમાં શું થઈ તબાહી ? શું થયું ? ; કેટલા લોકોના મોત થયા ? જુઓ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યો છે. સતત મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. આભ ફાટતાં અનેક ઘર ધરાશાયી થયા હતા. રામવનમાં વાદળ ફાટતાં 3 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધર્મકુંડ ગામમાં 40 ઘરો ધરાશાયી થયા હતા. લદાખમાં પણ કરા પડ્યા હતા અને આમ મોસમે જમ્મુ-કાશ્મીરમા ભારે તબાહી મચાવી દીધી હતી. એક પહાડ ધસી પડતાં માર્ગ પર આફત ઉતરી હતી. અને કાદવનો પ્રવાહ ઘરો સુધી આવી ગયો હતો. અનેક વાહનો તણાઇ ગયા હતા. ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર હાઇ-વે બંધ કરી દેવાયો હતો. એનડીઆરએફના જવાનો બચાવ રાહત માટે પહોંચી ગયા હતા .
જમ્મુ-શ્રીનગરની જીવન રેખા ગણાતા નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો ઉભો થયો હતો જેના કારણે હાઈવે લગભગ બંધ થયો હતો. પરિવહન સેવાઓ ખોરવાઈ હતી. સેકડોં વાહનો ફસાયા હતા. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ ખોરવાયો હતો. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. રામવનના ધર્મકુંડ ગામમાં પૂર આવ્યું હતું. અનેક મકાનોને નુકસાની થઈ હતી. આમ
પશુઓનો સોથ વળ્યો
કાશ્મીરમાં બપોરે બરફના કરાં પડવાની અને વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. વર્તમાન સિસ્ટમ પર નજર રાખતાં હવામાન વિભાગે રવિવારે દિવસે રેડ એલર્ટ આપ્યું હતું. સોમવારથી હવામાનમાં સુધારો થવાની શક્યતા દર્શાવી છે.
અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પડી હતી જેમાં વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. એક મહિલા ઘાયલ થઈ હતી. વીજ પડવાથી 40-50 ઘેટાં-બકરાંઓના પણ મોત થયા હતા. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
હાઇ-વે પર વાહનો ફસાયા
ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા હતા. સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે. તેમજ હાઈવે પર મુસાફરી ન કરવા કહ્યું હતું.