ટ્રમ્પની અપીલ બાદ પુતિને શું રાખી છે યુધ્ધ વિરામ અંગે શરત ? જુઓ
- ટ્રમ્પના યુધ્ધ રોકાવવાના પ્રયાસોને લાગ્યો જોરદાર ઝટકો
- યુક્રેનિ સૈનિકોનાં જીવ બચાવી લેવાની અપીલ બાદ પુતિને શરત રાખીને કહ્યું, સૈનિકો આત્મસમર્પણ કરે તો બચી જશે; અવરોધો આવી રહ્યા છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્સ્ક ક્ષેત્રમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનના સૈનિકોને મુક્ત કરવા કહ્યુ હતુ. જેના પર પુતિનની પ્રતિક્રિયા સામે આવી હતી. પુતિને કહ્યું કે, જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ. આમ ટ્રમ્પના પ્રયાસને ઝટકો લાગ્યો છે. ટ્રમ્પે સૈનિકોનાં જીવ બચાવી લેવાની અપીલ કરી હતી. આમ યુધ્ધ રોકવાના પ્રયાસોને જોરદાર ઝટકો લાગ્યો છે. આમ દેશ માટે બધુ જ કરી
પુતિને કહ્યું કે, ‘જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે, તો અમે ગેરંટી આપીએ છીએ કે, અમે તેમનો જીવ બચાવી લઇશું. તેમને આંતરરાષ્ટ્રીય કાયદો અને રશિયાના કાયદા અનુસાર જીવન અને સભ્ય વ્યવહારની ગેરંટી આપવામાં આવશે.’ વળી, રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ‘જો યુક્રેનના સૈનિક હથિયાર હેઠા મૂકવાનો ઈનકાર કરે છે, તો તે બધાંને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે.’
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં પુતિન સાથે થયેલી લાંબી ‘સકારાત્મક’ ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની ઘણી સંભાવના છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને કહ્યું કે, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારી અને ઉપયોગી ચર્ચા થઈ હતી. આ વાતચીત પરથી ઘણી સંભાવના છે કે, આ ભયાનક અને લોહીલોહાણ યુદ્ધ ખતમ થઈ જશે. મેં પુતિનને અનુરોધ કર્યો છે કે, સંપૂર્ણ રીતે ઘેરાયેલા યુક્રેનના સૈનિકોને બક્ષી દે.’
ગુરૂવારે ક્રેમલિને રશિયા દ્વારા પ્રસ્તાવનો સ્વીકાર કરાયાની પુષ્ટિ કરી હતી. જોકે, પુતિને મૉસ્કોમાં ભાર મૂકીને કહ્યું કે, ‘યુદ્ધવિરામનો વિચાર ખૂબ જ સાચો છે અને અમે નિશ્ચિત રૂપે તેનું સમર્થન કરીએ છીએ પરંતુ, અમુક મુદ્દા એવા છે જેના પર અમારે ચર્ચા કરવાની જરૂર છે.’