લોકોને શેમાં રાહત મળી શકે છે ? જુઓ
- આરોગ્ય જાળવવા શું રાહત મળશે ?
લોકસભસસની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર બધાને ખુશ કરવા માટે અલગ અલગ પગલાં લઈ રહી છે અને તેના ભાગરૂપે હવે વીમા પ્રીમિયમ દરો પણ આગામી દિવસોમાં ઘટી શકે છે. લોકોને ઘણી રાહત મળશે. સરકારી સૂત્રોએ આ મુજબની માહિતી આપી હતી. થોડાક સમયમાં જ આ જાહેરાત થઈ શકે છે.
વાસ્તવમાં કેન્દ્રની સંસદીય સમિતિએ વીમા પ્રીમિયમ ઉપર વસૂલાઈ રહેલા જીએસટીના ઊંચા દરો ઘટાડવા અંગે મહત્વની ભલામણ કરી છે. અત્યારે આ દર 18 ટકા છે. સંસદીય સમિતિએ આ બારામાં એમ કહ્યું છે કે વીમા ઉત્પાદો પર વસૂલાઈ રહેલા જીએસટી દરોને તર્ક સંગત બનાવવાની જરૂર છે.
સમિતિએ એમ પણ કહ્યું છે કે વિશેષ કરીને આરોગ્ય અને ટર્મ વીમા ઉપરના દરને ઘટાડવાની જરૂર છે. ભારે જીએસટી દરને લીધે વીમા પ્રીમિયમ મોંઘું થઈ જાય છે અને લોકો તેનાથી દૂર ભાગે છે માટે જલ્દી ઘટાડો કરવાની જરૂર છે. દેશમાં વીમા ઉધ્યોગ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે અને તેના પરિણામ અત્યાર સુધી સારા રહ્યા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે અને આરોગ્ય વીમા માટે હળવા દર રાખવા જોઈએ.
સમિતિએ કહ્યું છે કી વીમા ઉત્પાદોને વધુ લાભકારી અને સરળ બનાવવાની જરૂર છે. જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે અને આરોગ્યની જાળવણી કરી શકે. આ પ્રકારની ભલામણ કેન્દ્ર સરકાર માણી લેશે અને દર ઘટી જશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.