નિવૃત્ત કર્મીઓને શું મળ્યો લાભ ? વાંચો
- કઈ યોજનામાં શામેલ કરાયા
કર્મચારી રાજ્ય વીમા નિગમે નિયમોમાં મોટા ફેરફાર કરીને નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓને સારી અને મહત્વની રાહત જાહેર કરી હતી. નવા નિયમ મુજબ હવે નિવૃત્ત કર્મીઓને પણ ચીકીત્સા સેવાનો લાભ મળશે. આ એવા કર્મીઓ છે જે વધુ વેતન હોવાને કારણે યોજનામાંથી બહાર થઈ ગયા હતા. હવે એમને ઈએસઆઈના દાયરામાં લેવામાં આવશે.
તાજેતરમાં જ મળેલી ઈએસઆઈની બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી હતી. એવી માહિતી અપાઈ છે કે જે કર્મીઓ 1 એપ્રિલ 2012 બાદ 5 વર્ષો સુધી ઈએસઆઈ યોજનામાં શામેલ હતા અને 1 એપ્રિલ 2017 અથવા ત્યારબાદ રૂપિયા 30 હજાર સુધીના વેતન સાથે નિવૃત્ત થયા હોય તેમને આ નવા નિયમ મુજબ યોજનાનો લાભ મળશે.
આ યોજના હેઠળ કર્મીઓને ઈએસઆઈ કાર્ડ આપવામાં આવે છે. કર્મીઓ ઈએસઆઈ ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલમાં મફત સારવાર લઈ શકે છે. દેશભરમાં ઈએસાઈની 150 થી પણ વધુ હોસ્પિટલો આવેલી છે. અહીં સામાન્યથી લઈને ગંભીર બીમારીની પણ સારવાર કરવામાં આવે છે.
આ યોજના હેઠળ કર્મીઓને રૂપિયા 120 વાર્ષિક પ્રીમિયમ પર સારવારની સુવિધા મળશે. લાખો કર્મીઓને આ નવા નિયમથી ઘણી જ રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવાયા બાદ હવે નવા નિયમની યાદી બહાર પાડવામાં આવશે.