મણીપુરમાં ફરી હિંસા, પોલીસ કમાન્ડો નું મોત: જિલ્લામાં કર્ફ્યુ
ઉગ્રવાદીઓ અને પોલીસ વચ્ચે સામસામે ગોળીબાર
મણીપુર માં હિંસા અટકવાનું નામ નથી લેતી. બુધવારે ફરી વખત ફાટી નીકળેલા તોફાનોને કાબુમાં લેવાનો પ્રયાસ કરનાર સશસ્ત્ર દળોના જવાનો ઉપર કૂકી ઉગ્રવાદીઓએ કરેલા ગોળીબારમાં એક પોલીસ કમાન્ડોનું મૃત્યુ થયું હતું. અગાઉ એક પોલીસ અધિકારીની હત્યામાં સંડાવાયેલા બે શખ્સોની સોમવારે પોલીસે ધરપકડ કર્યા બાદ ફરી એક વખત વાતાવરણ સ્ફોટક બન્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ટેંગોનુપાલ જિલ્લાના મોરેહ ગામમાં કૂકી ઉગ્રવાદીઓએ બોમ્બ ફેક્યા હતા અને એક પોલીસ ચોકીને આગ ચાપી દીધી હતી. વોર્ડ નંબર સાતમાં ઉગ્રવાદીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. એ દરમિયાન થયેલા સામસામે ગોળીબારમાં ડબલ્યુ. સોમોરજીત નામના કમાન્ડોએ શહીદી વ્હોરી હતી.આ આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં ફરી એક વખત કર્ફ્યુ લાગી લેવામાં આવ્યો હતો.
એ પહેલા મંગળવારે રાત્રે ગામડાઓના રક્ષણ માટે બનેલા મેઇટી જૂથો અને કુકી ઉગ્રવાદીઓ વચ્ચે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોઉતૃક ગામમાં પણ સામસામે ગોળીબાર થયા હતા. બાદમાં કેન્દ્રીય સશસ્ત્ર દડો એ દોડી જઈ મામલો કાબુમાં લીધો હતો.
બે શખ્સોની ધરપકડ બાદ મામલો બિચકયો
ગત ઓક્ટોબર માં સશસ્ત્ર દળના વાહનોના કલાક કાફલા ઉપર ગોળીબાર કરી એક પોલીસ અધિકારીની હત્યા બદલ સોમવારે ફિલિપ ખોંગસાઇ અને હેલોખોલાલ નામના બેશક સોની ધરપકડ કરવામાં આવી હતી. એ બંને પાસેથી એક પિસ્તોલ ચાઈનીઝ બનાવટના હેન્ડ ક્રેનેડ 10 ડેટોનેટર્સ સહિતના હથિયારો અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો. એ બંનેની ધરપકડ બાદ મહિલાઓએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. અને બાદમાં બુધવારે સામસામે ગોળીબારની આ ઘટના બની હતી.