હજુ થોડા દિવસો પહેલા જ યુપીમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરીએક વખત ટ્રેન અકસ્માતનો મામલો ઝારખંડમાં સામે આવ્યો છે જેમાં ઝારખંડના ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રેલવેના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. રેલવે કર્મચારીઓ સાથે એઆરએમ, એડીઆરએમ અને સીકેપીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવી રહી છે. તેમજ, ટીમે ઘટના સ્થળેથી 80 ટકા મુસાફરોને ચક્રધરપુર રેલ્વે સ્ટેશન પર પહોંચાડ્યા છે.
આ ઘટનાની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે 12810 હાવડા-CSMT એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણ લગભગ 3:45 વાગ્યે ચક્રધરપુર નજીક રાજખારસ્વન વેસ્ટ આઉટ અને ચક્રધરપુર ડિવિઝનના બારામ્બો વચ્ચે થઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે અને 20 ઘાયલ થયા. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.
પ્રથમ અધિકારીએ જણાવ્યું કે એક મુસાફરનું ટ્રેન અકસ્માતમાં મોત થયું છે. મૃતક મુંબઈ હાવડા મેઈલ અપલાઈનના B4 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. આ ઉપરાંત બી4 કોચમાં વધુ એક મુસાફર ફસાયા હોવાના સમાચાર છે અને તેને બચાવવાનું કામ હજુ ચાલુ છે.
ઝારખંડ: ટ્રેન નં. 12810 હાવરા-CSMT એક્સપ્રેસ સવારના 3:45 વાગ્યે ચક્રધરપુર ડિવિઝનમાં રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારાબામ્બુ વચ્ચે ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. સાઈટ પર સ્ટાફ અને ADRM CKP સાથે ARME. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. તમામને રેલવે દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે…
સીએમ હેમંત સોરેને આપી હતી સૂચના
આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી હેમંત સોરેને સિંઘભૂમ અને સેરાઈકેલા-ખારસાવાન જિલ્લા મેજિસ્ટ્રેટને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ સાથે તેમણે તમામ જરૂરી મદદની વ્યવસ્થા કરવાની સાથે સ્થળ પર હાજર લોકોને માહિતી આપવા સૂચના પણ આપી છે.
ચક્રધરપુર રેલ્વે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ, ચક્રધરપુર રેલ્વે વિભાગના અધિકારીઓ, રાહત ટ્રેન અને અનેક એમ્બ્યુલન્સને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે બારાબામ્બો નજીક ટ્રેન નંબર 12810 ના પાટા પરથી ઉતરી જવાની ઘટના માટે હેલ્પલાઇન નંબર 0651-27-87115 પણ જારી કર્યો છે.
રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર
• ટાટાનગર- 06572290324
• ચક્રધરપુર- 06587 238072
• રાઉરકેલા- 06612501072, 06612500244
• હાવડા- 9433357920, 03326382217
• રાંચી- 0651-27-87115.
• HWH હેલ્પ ડેસ્ક- 033-26382217, 9433357920
• SHM હેલ્પ ડેસ્ક- 6295531471, 7595074427
• KGP હેલ્પ ડેસ્ક- 03222-293764
• CSMT હેલ્પલાઇન ઓટો નંબર- 55993
• P&T- 022-22694040
• મુંબઈ- 022-22694040
• નાગપુર- 7757912790
સ્થાનિક વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન દુર્ઘટના સેરાઈકેલા-ખારસાવાન જિલ્લાના ખારસાવાન બ્લોકમાં પોટોબેડા ખાતે થઈ હતી. તેણે કહ્યું, “અકસ્માતમાં મુંબઈ-હાવડા મેલ અને માલસામાન ટ્રેન સામેલ હતી.
મુસાફરો ચક્રધરપુર સ્ટેશન પહોંચ્યા
દુર્ઘટના બાદ રાહત કામગીરીમાં લાગેલી ટીમ 80 ટકા મુસાફરોને બસ દ્વારા ચક્રધરપુર રેલવે સ્ટેશન લઈ ગઈ છે. ઘટનાસ્થળેથી બાકીના મુસાફરોને સ્ટેશન પર મોકલવા માટે એક રેસ્ક્યુ ટ્રેનને પણ સ્થળ પર મોકલવામાં આવી છે.