ઉધ્ધવ ઠાકરે નવાજૂની કરશે ? વાંચો
મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણાએ આ સપ્તાહની શરૂઆતમાં મોટી ભવિષ્યવાણી કરી હતી. . રવિ રાણાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે 20 જૂન સુધીમાં ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવશે. તેઓ એનડીએમાં પાછા ફરી શકે છે. રવિ રાણા ભાજપના અમરાવતીના ઉમેદવાર નવનીત રાણાના પતિ છે.
તેમણે કહ્યું, “હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે મોદીજી ફરીથી વડાપ્રધાન બન્યાના 15 દિવસ પછી ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં અને મોદીજી સાથે જોવા મળશે. આવનારો યુગ મોદીજીનો છે અને ઉદ્ધવ ઠાકરે આ જાણે છે. નરેન્દ્ર મોદીજી બાળાસાહેબ ઠાકરેના વિચારોને આગળ લઈ રહ્યા છે.
રાણાએ એમ પણ કહ્યું છે કે વિપક્ષ ગઠબંધન એમવીએના નેતાઓએ બીપીની દવા અને ડોકટરો પોતાની પાસે જ રાખવા પડશે કારણ કે 4 જૂન બાદ ઘણા નેતાઓ બીમાર પડી શકે છે.
જો કે ઉધ્ધવના જમણા હાથ ગણાતા શિવસેના નેતા સંજય રાઉતે રાણાણા દાવાઓને હાસ્યાસ્પદ ગણાવીને તેનું ખંડન કર્યું હતું. એમણે કહ્યું કે આવા લોકોને ઉધ્ધવ વિષે કઈ પણ બોલવાનો અધિકાર નથી.