ઉધ્ધવ ઠાકરે હોસ્પિટલ ખસેડાયા, એન્જિયોપ્લાસ્ટી થઈ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેને હાર્ટની તકલીફ બાદ સોમવારે એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. સોમવારે સવારે તેમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેની એન્જિયોગ્રાફી સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે.
ઉદ્ધવે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવારજનોએ એમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા જ્યાં બધા ટેસ્ટ થયા હતા અને એમના હાર્ટની કેટલીક ધમનીઓ બ્લોક હોવાનું જણાયું હતું.
ઉદ્ધવ ઠાકરેની અગાઉ વર્ષ 2012માં 16મી જુલાઈએ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુ:ખાવાને કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ, તેમણે ફરી એકવાર હૃદયમાં દુ:ખાવાની ફરિયાદ કરી, જેના કારણે 2016માં લીલાવતી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવી હતી.