કેનેડામાં ફરી તીરંગાનું અપમાન
ભારતીય દૂતાવાસ બહાર આતંકી સિખ જૂથે ભરતવિરોધી સૂત્રો પોકારી તિરંગાને જમીન પર ફેકી દીધો, ભારતીયોમાં રોષ
કેનેડામાં ભરતવિરોધી પ્રવૃત્તિ વધી રહી છે અને કેનેડાના લોકો નફરત બતાવી રહ્યા છે. ખાસ કરીને સિખ સમુદાયનો હવાલો દઈને આતંકી સિખ સંગઠન નકારાત્મક કામ કરી રહ્યું છે. ફરી એકવાર ખાલિસ્તાન તરફી આતંકવાદી જૂથ એસ્એફજેએ વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર શરુ કર્યો હતો. ભારત સરકાર રાજદ્વારીઓ અને રાજદ્વારી બિલ્ડીંગની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે કારણ કે વિઝા સેવાઓ ફરી સ્થાપી શકાય અને એવા સમયે જ આ પ્રકારની ઘટના બની છે.
આ પહેલા પણ 25 સપ્ટેમ્બરે ખલિસ્તાન સમર્થકોએ અને આતંકી સંગઠન સાથે જોડાયેલા લોકોએ ભારતીય દૂતાવાસ બહાર ભરતવિરોધી સૂત્રો પોકાર્યા હતા. તીરંગાનું અપમાન પણ કર્યું હતું. કેનેડા સામે ભારતે આક્રમક કાર્યવાહી કરી છે છતાં કેનેડાની સરકાર ભારત વિરોધી જૂથો અને આતંકીઓને ટેકો આપી રહી છે.
સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના લોકો એક હાથમાં ખાલિસ્તાનનો ઝંડો અને બીજા હાથમાં કેનેડાનો ધ્વજ લઇ ફોટાઓ પડાવી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું હતું અને તેના પર ચંપલ પહેરીને ઉભા રહ્યા હતા. અગાઉ પણ આ રીતે આતંકવાદી સંગઠન દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું.
ભારત અને કેનેડાના સંબંધો વધુ બગડે તેવી સંભાવના છે. સિખ સંગઠન પર કોઈ પ્રકારની સરકારની પક્કડ રહી નથી અને સરકાર ખુદ પણ ભારત સાથે આડોડાઈ કરે છે અને જાતજાતના આરોપ મૂકે છે.