પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું દુ:ખદ નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક, કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ
ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનાર ડૉ.મનમોહન સિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
મનમોહન સિંહના અવસાન બાદ રાષ્ટ્રીય શોક ફેલાયો છે. દિગ્ગજ નેતાઓએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હવે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આજના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૧૧ કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ જે કેબિનેટની બેઠક મળવાની છે તે પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ યોજાશે. આજના તમામ સરકારી કાર્યક્રમોર રદ કરી નાખવામાં આવ્યા છે.
કોંગ્રેસે પણ તેઓના મહત્વનાં દિવસોની ઉજવણી મોકૂફ રાખીને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આગામી સાત દિવસ સુધી કોઈ રાષ્ટ્રીય જાહેર કાર્યક્રમો નહીં થાય.
અડધી કાઠીએ ધ્વજ લહેરાવાશે
આ મુદ્દે પાર્ટીના મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે, “તમામ આંદોલનો અને આઉટરીચ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી, 2025ના રોજ ફરી શરૂ થશે. યાં સુધી આ શોકના સમયગાળા દરમિયાન પાર્ટીનો ધ્વજ અડધી કાઠીએ લ્હેરવવામાં આવશે”