કંગનાને તમાચો મારનાર મહિલા જવાનની ચંડીગઢથી બેંગલુરુ બદલી
તેણીના પતિની પણ બદલી : ચંદીગઢમાં ઘટના બની હતી; મહિલા જવાને માફી પણ માંગી હતી; ખેડૂત સંગઠનોએ તેણીને ટેકો આપ્યો હતો
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને તમાચો મારનારી એરપોર્ટની મહિલા ગાર્ડને અંતે સજા મળી ગઈ છે અને તેની બદલી બહુ દૂર કરી દેવવમાં આવી છે. સીઆઈએસએફની આ મહિલા જવાન કુલવીંદર કૌરની બદલી ચંડીગઢથી બેંગલુરુ કરી દેવાઈ છે. બુધવારે આ એક્શનની જાહેરાત કરાઇ હતી. કૌરના પતિની પણ બદલી કરી દેવાઈ હતી.
મહિલા જવાને ચંડીગઢ એરપોર્ટ પર કંગનાને કિસાન આંદોલન વિરુધ્ધ નિવેદન આપવા બદલ તમાચો મારી દીધો હતો. જો કે સીઆઈએસએફ દ્વારા એમ જણાવાયું હતું કે અત્યારે મહિલા જવાન સસ્પેન્ડ છે અને તપાસ ચાલી રહી છે. એમની સામે વિભાગીય તપાસ થઈ રહી છે.
કંગનાને તમાચો માર્યા બાદ મહિલા જવાનને તરત જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી. આ ઘટના બાદ અનેક ખેડૂત સંગઠનોએ મહિલા જવાનને ટેકો આપ્યો હતો. તેના માટે દેખાવો પણ કર્યા હતા. ટોચના અધિકારીઓએ એમ કહ્યું હતું કે આ ઘટના બાદ મહિલા જવાને માફી માંગી હતી. અમે પણ કંગનાને મળીને માફી માંગી હતી.
કંગનાએ કુલવીંદરના પરિવાર વિષે પણ મહિતી માંગી હતી અને કહ્યું હતું કે તે કોણ છે અને તેણીના પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે. કંગનાએ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તરત જ પગલાં લેવાયા હતા. જો કે હવે તેની બહુ દૂર બદલી કરી દેવાઈ છે.