મુખ્યમંત્રી માટે મગાવેલા સમોસા સ્ટાફ ખાઈ ગયો અને થયો વિવાદ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે બનેલી ઘટનાની તપાસ CIDને સોંપાઇ
પાંચ પોલીસ કર્મચારીઓને નોટિસ ફટકારાઈ : ભાજપે કરી ટીકા
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંઘ સુખુ માટે લાવવામાં આવેલા સમોસા અને કેક ભૂલથી પોલીસ કર્મચારીઓને પીરસવામાં આવ્યા હતા, જેના કારણે વિવાદ થયો છે.આ મામલામાં સીઆઈડી તપાસસોંપવામાં આવી છે. આ વિવાદ બાદ ભાજપે સુખુ પર નિશાન સાધ્યું છે.
આ મામલો માત્ર ખાવાના સમોસા પૂરતો જ સીમિત નથી, પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે પણ મોટો વિવાદ સામે આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, 21 ઓક્ટોબરના રોજ, મુખ્યમંત્રી સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે **CID હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ કાર્યક્રમ માટે હોટેલ રેડિસન બ્લુમાંથી સમોસા અને કેકના ત્રણ બોક્સ લાવવામાં આવ્યા હતા, જે ખાસ કરીને મુખ્યમંત્રી માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ ઘોર બેદરકારીના કારણે આ સમોસા આકસ્મિક રીતે મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓ સુધી પહોંચી ગયા અને તેઓ મુખ્યમંત્રી સુધી પહોંચે તે પહેલા જ અન્ય કોઈના પેટમાં પધરાવાઇ ગયા. જેના કારણે સીએમ અને વીઆઈપી મહેમાનોને નાસ્તો મળી શક્યો ન હતો, ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સીઆઈડી હેડક્વાર્ટર ખાતે ડીએસપી વિક્રમ ચૌહાણના રિપોર્ટ અનુસાર, આ ભૂલ કો-ઓર્ડિનેશનના અભાવે થઈ છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઇન્સ્પેક્ટર જનરલ **(IG) રેન્કના અધિકારીએ સબ-ઇન્સ્પેક્ટરને સમોસા અને કેક લાવવાનો આદેશ આપ્યો. પરંતુ આ આદેશ બાદ મામલો વધુ પેચીદો બન્યો હતો. સબ-ઇન્સ્પેક્ટરે આ કામ સહાયક સબ-ઇન્સ્પેક્ટર **(ASI) અને હેડ કોન્સ્ટેબલને સોંપ્યું. તે બંને હોટલમાંથી ત્રણ સીલબંધ બોક્સમાં આ ખાદ્યપદાર્થો લાવ્યા હતા અને સબ ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી.
ફરજ પરના પ્રવાસન વિભાગના કર્મચારીઓએ આ ડબ્બા વિશે પૂછ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ નાસ્તો મુખ્યમંત્રીના મેનૂનો ભાગ નથી. ત્યારપછી, કોઈપણ વરિષ્ઠ અધિકારીની સલાહ લીધા વિના આ સામગ્રી અન્ય વિભાગોમાં મોકલવામાં આવી હતી, જેના કારણે આખરે સમોસા અને કેક સુરક્ષા કર્મચારીઓના હાથમાં પહોંચ્યા હતા,
સીઆઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગડબડ માટે માત્ર પાંચ પોલીસકર્મીઓ જ જવાબદાર હતા, જેમણે કામ કર્યું હતું “સીઆઈડી વિરોધી અને સરકાર વિરોધી” હોવાનો તેમના પર આરોપો લગાવવામાં આવ્યા છે કે તેમણે આ બધું તેમના અંગત એજન્ડા મુજબ કર્યું અને આ કારણે **VIP મહેમાનો નાસ્તાથી વંચિત રહ્યા.
સમોસાની તપાસને લઈને ભાજપે હવે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના ધારાસભ્ય અને મીડિયા વિભાગના પ્રભારી રણધીર શર્માએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “હિમાચલ પ્રદેશના લોકો પરેશાન છે અને સરકાર મુખ્યમંત્રીના સમોસાને લઈને ચિંતિત છે. તે હાસ્યાસ્પદ છે કે સરકારને માત્ર પોતાના ભોજનની ચિંતા છે, જ્યારે રાજ્યમાં વિકાસના કામો પર ધ્યાન આપવામાં આવતું નથી.