Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બેઠક અદાણીના બંગલે નહોતી મળી, અદાણી હાજર નહોતા: દેવેન્દ્ર ફડાણવિસ

Fri, November 15 2024

2019 ની બેઠા ક અંગે અજીત પવારે વટાણા વેરી દીધા બાદ વિવાદ વકર્યો

બેઠક અદાણીના દિલ્હીના બંગલે મળી હતી, અદાણી હાજર હતા: શરદ પવાર

2019 ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને એનસીપીની ગઠબંધન સરકાર રચવા માટે ગૌતમ અદાણીના બંગલે બેઠક મળી હોવાનો અને એ બેઠકમાં ગૌતમ અદાણી પોતે પણ હાજર હોવાનો મહાયુતી ગઠબંધનના ઘટક પક્ષ એનસીપીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ધડાકો કર્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષોને નવું શસ્ત્ર મળી ગયું છે. ભાજપની સરકાર અદાણી ની સરકાર હોવાના આક્ષેપને બમણા જોરથી દોહરાવવાની કોંગ્રેસને તક મળી ગઈ છે. મહારાષ્ટ્રની સરકાર ના ગઠનમાં ગૌતમ અદાણીની કથિત ભૂમિકા સામે વિપક્ષો પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે એ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરસ્પર વિરોધાભાસી ખુલાસાઓ શરૂ થયા છે. દેવેન્દ્ર ફડણવિસે બેઠક મળી હોવાનું કબૂલ્યું હતું પણ તે બેઠક ગૌતમ અદાણીના બંગલે ન મળી હોવાનો અને બેઠકમાં અદાણી હાજર ન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ શરદ પવારે એ બેઠક દિલ્હીના અદાણીના બંગલે જ મળી હોવાનો અને સ્વયં ગૌતમ અદાણી એ બેઠકમાં ઉપસ્થિત હોવાનો ખુલાસો કર્યો હતો.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. એ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ બંને પક્ષો વચ્ચે મુખ્યમંત્રી પદ માટે વિવાદ થયો હતો. અમિત શાહે ભાજપ અને શિવસેના બંનેને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યું હોવાનો ઉદ્ધવ ઠાકરેએ દાવો કરી મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી હતી. ભાજપે એ દાવાને નકારી ઉદ્ધવ ઠાકરે ની માગણીને ઠુકરાવી દેતા ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યા એની જાહેરાત કરી હતી. આવા સંજોગોમાં સરકાર ગઠનનું કામ ટલ્લે ચડ્યું હતું. અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારબાદ અજીત પવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. એનસીપીના 51 ધારાસભ્ય નો ટેકો હોવાનો દાવો કરતો પત્ર ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ગવર્નરે સવારે છ વાગ્યે શપથવિધિ સમારોહ યોજી દેતાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે બાદમાં અજીત પવારે સમર્થન પાછું ખેંચાઈ લેતા 80 કલાક બાદ ફડણવીસે રાજીનામું આપવું પડ્યું હતું. 2019 ના એ બહુચર્ચિત ઘટનાક્રમમાં ગૌતમ અદાણીની કથિત ભૂમિકા વિશે અજીત પવારે વટાણા વેરી દેતા નવો વિવાદ શરૂ થયો છે.

શું કહ્યું હતું અજીત પવારે?

અજીત પવારે કહ્યું હતું,” 2019 ની બેઠક મળી તેને પાંચ વર્ષ થઈ ગયા. બધા જાણે છે કે કોને ત્યાં બેઠક મળી હતી. બેઠક દિલ્હીમાં એક મોટા ઉદ્યોગપતિના બંગલે મળી હતી. તેમાં મારા ઉપરાંત ગૌતમ અદાણી,ગૃહ મંત્રી અમિત શાહ, શરદ પવાર, પ્રફુલ પટેલ અને દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત હતા. બધું જ એ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું પણ છેલ્લે દોષનો ટોપલો મારી ઉપર ઢોળી દેવાયો અને મેં તે લઈ લીધો..” અજીત સવારે કુલ પાંચ વખત બેઠક મળી હોવાનો દાવો કર્યો હતો.

એનસીપીના નેતાઓ સામેની તપાસનું ફિંડલું વાળી દેવાની ખાતરી મળી હતી: શરદ પવાર

2019 ની એ બેઠક ગૌતમ અદાણીના બંગલે મળી હતી કે નહીં અને તેઓ હાજર હતા કે નહીં તેના વિવાદ વચ્ચે શરદ પવારે પણ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે એ બેઠક ગૌતમ અદાણીના દિલ્હી ખાતેના બંગલે જ મળી હતી. તેમાં ગૌતમ અદાણી ઉપરાંત અમિત શાહ અને અજીત પવાર પણ ઉપસ્થિત હતા. તેમણે ઉમેર્યું કે એનસીપીના તેમના અનેક સાથીઓ સામે કેન્દ્રીય એજન્સીઓની તપાસ ચાલુ હતી. જો એ બધા ભાજપ ને ટેકો આપે તો તપાસનું ફીંડલું વાળી દેવાની ભાજપે ખાતરી આપી હોવાનું એ નેતાઓએ જણાવ્યું હતું. જો કે ભાજપ એ વચનનું પાલન નહીં કરે એવી આશંકા શરદ પવારે દર્શાવી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં મારા સાથીઓ ભાજપના મોઢેથી જ એ વાત સાંભળવાના આગ્રહી હતા અને અંતે હું એ બેઠકમાં જોડાયો હતો. એ બેઠક દરમિયાન ગૌતમ અદાણીએ રાજકીય ચર્ચામાં કોઈ ભાગ ન લીધો હોવાની સ્પષ્ટતા શરદ સવારે કરી હતી.

શરદ પવાર છેલ્લે સુધી સાથે હતા પણ પછી દગો કર્યો: દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે એકે ન્યુઝ પોર્ટલ સાથેની સાથેની મુલાકાતમાં 2019 માં મળેલી બેઠક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું,” હા, બેઠક મળી હતી પણ તે અદાણીના બંગલે નહીં. ગૌતમ અદાણી તેમાં હાજર પણ ન હતા. એ બેઠકમાં મારા ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, શરદ પવાર,અજીત પવાર અને પ્રફુલ પટેલ હાજર હતા. તેમાં સરકારના ગઠન અને પ્રધાનપદ તથા ખાતાની ફાળવણી અંગે ચર્ચા થઈ હતી. એ આયોજનને પાર પાડવાની જવાબદારી મને અને અજીત પવારને સોંપવામાં આવી હતી પણ જ્યારે તેનો અમલ કરવામાં આવ્યો ત્યારે શરદ પવાર દગો દઈ અને હટી ગયા હતા.” તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે શરદ પવાર ગવર્નરને પત્ર લખે તેવું નક્કી થયું હતું. એ પત્ર ફડણવીસની ઓફિસમાં લખાયો હતો. શરદ પવાર એ સમયે લીલાવતી હોસ્પિટલમાં સંજય રાઉતની તબિયત જોવા માટે ગયા હતા. તેમણે પત્રમાં થોડો ફેરફાર કર્યો અને તે પછી તે પત્ર મોકલી દેવામાં આવ્યો હતો.

બે નાયબ મુખ્યમંત્રી માંથી કોણ સાચા?

મામલો ગુંચવાયો છે. અજીત પવારની એનસીપી ભાજપના નેતૃત્વ વાળી મહાયુતી માં સામેલ છે.અજીત પવાર ખુદ નાયબ મુખ્યમંત્રી છે. તેમણે 2019ની બેઠકમાં અદાણી હાજર હોવાનો દાવો કર્યો છે તો ભાજપના દિગ્ગજ નેતા અને બીજા નાયબ મુખ્યમંત્રી ફડણવિસ બેઠક અન્ય સ્થળે મળી હોવાનો અને બેઠકમાં અદાણી હાજર ન હોવાનો દાવો કરે છે. બે સાથી પક્ષના ટોચના નેતાઓ જ અલગ અલગ દાવા કરે છે ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ સવાલ દેખીતી રીતે જ ઊભો થયો છે.

Share Article

Other Articles

Previous

અભિષેકને બોલાવીને મે બવ મોટી ભૂલ કરી !! KBC 16માં દીકરાને બોલાવીને અમિતાભને થયો પસ્તાવો ?? જુઓ વિડીયો

Next

The Sabarmati Report Review : ગોધરાકાંડ પર બનેલી ફિલ્મમાં વિક્રાંત મેસીની એક્ટિંગે લોકોના દિલ જીત્યા, વાંચો ધમાકેદાર રિવ્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
17 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
51 મિનિટutes પહેલા
રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
1 કલાક પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2278 Posts

Related Posts

જનતાને મોંઘવારીનો વધુ એક ડામ : રાંધણ ગેસના ભાવમાં થયો વધારો, ઉજ્જવલા યોજનાને લઈને પણ માઠા સમાચાર
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ પાકિસ્તાનને મરચાં લાગ્યા, કહ્યુ મોદીનું નિવેદન નફરત ફેલાવે તેવું છે!
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ભરાશે ફોર્મ : 108 જાહેરાત માટે ઉમેદવારો બપોરે 1 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
તળાજા : PGVCL કચેરીએ ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ, 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર