ન્યાયશાસ્ત્રી ફલી નરીમાન યાદ આવશે જુઓ
દેશના વરિષ્ઠ વકીલોમાંના એક ફલી એસ. નરીમનનું બુધવારે સવારે નિધન થઈ ગયું હતું. 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર રોહિન્ટન નરીમન પણ વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ છે. નરીમને નવેમ્બર 1950માં વકીલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી.
તેમના જીવન સાથે જોડાયેલી એક ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરુદ્ધ એએસજીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની લાંબી કાયદાકીય કારકિર્દી દરમિયાન નરીમન ઘણા મોટા ઐતિહાસિક કેસોનો પણ ભાગ રહ્યા છે. તેમાં એન જે એ સી નો નિર્ણય પણ સામેલ છે. કહેવાય છે કે કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવવા પાછળ આ બાબત એક મોટું કારણ હતું. ટીએમએ પાઈ જેવા ઘણા મોટા કેસમાં પણ તે કોર્ટમાં હાજર રહ્યા હતા.
એવું મનાય છે કે નરીમન 1975માં જાહેર કરાયેલી કટોકટીના સરકારના નિર્ણયથી ખુશ ન હતા. અહેવાલ મુજબ, તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા કટોકટી નિર્ણયના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.