Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં આતંકવાદીઓ એ આ દેશની રાઈફલ નો ઉપયોગ કર્યો

Fri, December 22 2023
  • આતંકીઓએ ઘટના સ્થળના ફોટા વાયરલ કર્યા: સુરક્ષા દળોનું ઓપરેશન જારી

ગુરુવારે કાશ્મીરના પૂંછ જિલ્લાના દેહરા કી ગલી વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના બે વાહનો ઉપર કરેલા હુમલામાં પાંચ જવાનો વીરગતિ પામતા દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આતંકવાદીઓએ આ હુમલામાં અમેરિકન બનાવટની M 4 રાયફલનો ઉપયોગ કર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.આ હુમલાની જવાબદારી લેનાર પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) દ્વારા એ હથિયાર સાથેના ઘટના સ્થળના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.


કાશ્મીરમાં સેનાના જવાનો અને વાહનો ઉપર હુમલા કરવાના બનાવવામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 19મી તારીખથી રાત્રે સુરનકોટ માં એક પોલીસ કેમ્પમાં વિસ્ફોટ થયા બાદ ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ પૂંછ જિલ્લામાં દેહરા કી ગલી વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટેનું ઓપરેશન શરૂ કર્યું હતું. તેમાં ભાગ લેવા જઈ રહેલ સૈનિકોની જીપ તેમજ ટ્રક ઉપર પહેલેથી છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કરતા પાંચ પાંચ જવાનો શહીદ થયા હતા અને અન્ય બેને ગંભીર ઇજા પહોંચી હતી.


એક ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. તેમાં એરિયલ પેટ્રોલિંગ ઉપરાંત સ્નિફર ડોગ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન PAFF પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયાબા સાથે સંકળાયેલું હોવાનું માનવામાં આવે છે. ગુરુવારે થયેલા હુમલા બાદ બે જવાનોના વિકૃત દેહ મળી આવ્યા ના અહેવાલોને પગલે સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

સુરક્ષા દળો પર હુમલાના વધતા જતા બનાવ

ગત મહિને 23 મી તારીખે પણ સૈનિકોને લઈ જતા વાહનોના કાફલા પર થયેલા હુમલામાં બે કેપ્ટન સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. એ પહેલા પાંચમી મેના રોજ રાજોરીમાં પણ આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં પાંચ જવાનોએ શાહદત વ્હોરી હતી. 20 મી એપ્રિલે પીર પંજાલ વિસ્તારમાં આર્મીના કાફલા પર થયેલા હુમલામાં પણ પાંચ જવાનો વીરગતિ પામ્યા હતા.

પૂર્વયોજિત કાવતરું હતું

આતંકવાદીઓ સેનાના કાફલા ઉપર હુમલો કરવા માટે પહેલેથી જ ગોઠવાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. આ હુમલો દેહરા કી ગલી અને બકલીયાઝ વચ્ચે આવેલા ધાત્યાર મોરહ વિસ્તારમાં થયો હતો. એ સ્થળે પહાડી રસ્તા પરના અત્યંત જોખમી વણાંક તેમજ ખાડા ખરબચડા વાળા રસ્તાને કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી આતંકવાદીઓએ હુમલા માટે એ સ્થળ ઉપર પસંદગી ઉતારી હતી અને પર્વતની ટોચ પર ગોઠવાઈ ગયા હતા. સૈનિકોના વાહનો એ સ્થળે ધીમા પડ્યા એ સાથે જ આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આતંકવાદ ક્યાં ખતમ થયો છે? ફારૂક અબ્દુલ્લાહ

પાંચ જવાનો ના મૃત્યુ ની ઘટના બાદ નેશનલ કોન્ફરન્સ ના વડા ફારુક અબ્દુલ્લાહએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 370 મી કલમ દૂર કર્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયા હોવાનો સરકાર દાવો કરે છે પણ આતંકવાદ તો ચાલુ જ છે. લશ્કરના ટોચના અધિકારીઓ પણ શહાદત પામ્યા છે. દરરોજ એક યા બીજા સ્થળે વિસ્ફોટ થાય છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ગુરુવારે બનેલી ઘટનાને પુલવામાની ઘટના સાથે સરખાવી હતી અને આતંકવાદ નાથવાની સરકારની નિષ્ફળતા સામે સવાલો કર્યા હતા

Share Article

Other Articles

Previous

અલ સાલ્વાડોરની વિદેશીઓને કરી અનોખી ઑફર

Next

સંસદના મુદ્દાને લઈને દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
14 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
15 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અહી મેકડોનાલ્ડના હેમ્બર્ગર ખાધા બાદ રોગચાળો ફાટી નીકળ્યો : એક વ્યક્તિનું મોત, જાણો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર મહેન્દ્રભાઈ ડાયાભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હીટવેવની અસર સ્કુલના સમય ઉપર પડી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર