ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન : શુભમન ગિલને સોંપાઈ ટેસ્ટ ટીમની કમાન, ઋષભ પંતને પણ સોંપાઈ મોટી જવાબદારી
આજનો દિવસ ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી મહત્ત્વનો છે આજે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર દ્વારા ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન અને ટીમ ઈન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત 24 મે (શનિવાર) ના રોજ કરવામાં આવી હતી. 18 સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે વિકેટકીપર રિષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું
IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા સાઈ સુદર્શન અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. લાંબા સમય પછી વાપસી કરી રહેલા કરુણ નાયરની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિટનેસના કારણોસર ટીમમાં સ્થાન મળ્યું નથી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. શ્રેયસ ઐયર આ ટીમનો ભાગ નથી, જ્યારે સરફરાઝ ખાનને પણ સ્થાન મળ્યું નથી.
ટીમ પસંદગી માટેની બેઠક મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્યાલયમાં યોજાઈ હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં અજિત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં શિવ સુંદર દાસ પણ હાજર હતા.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
— BCCI (@BCCI) May 24, 2025
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
વિરાટ કોહલી અને રોહિત શર્માના સંન્યાસ બાદ ભારતીય ક્રિકેટમાં ફેરફારના એક નવા તબક્કાની શરૂઆત થશે. ઈંગ્લેન્ડ પ્રવાસની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સીઝનનો પ્રારંભ થવાનો છે. ત્યારે ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈસ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત સિંધુ, મોહમ્મદ નરસિંહ, ક્રિષ્ના નરસિંહ, ક્રિષ્ના, નરસિંહ, નૈતિક. સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.