સિનવારની ડાબા હાથની આંગળી કાપીને DNA ટેસ્ટ કરાયો : આખું શરીર ઇજાગ્રસ્ત હતું ; માથામાં વાગેલી ગોળીને કારણે મૃત્યુ થયું
હમાસના વડા યાહ્યા સીનવારના મૃત્યુ બાદ તેના ડાબા હાથની આંગળી કાપીને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બાદમાં એ મૃતદેહ તેનો જ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
સીનાવરનો મૃતદેહ તેલ અવયવના ફોરેન્સિક સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ચેન કુગઈના જણાવ્યા અનુસાર ડીએનએ ટેસ્ટ કરવા માટે સીનાવરના હાથની આંગળી કાપવામાં આવી હતી અને 2011માં તેની જેલ મુક્તિ થઈ ત્યારે લેવામાં આવેલા ડીએનએ સેમ્પલ સાથે તેનું મેચિંગ કરવામાં આવ્યું હતું.
ડોક્ટર કુગેઇએ જણાવ્યું કે સિનવારના શરીર ઉપર ઇજાના સંખ્યાબંધ નિશાનો હતા. તેનો એક હાથ ટેન્ક અથવા મિસાઈલ મારામાં છેદાઈ ગયો હતો. સીનવારે
એક ઈલેક્ટ્રીક કોર્ડ સાથે જોડેલા કામચલાઉ સાધન વડે હાથમાંથી થતાં રક્તસ્ત્રાવને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઈજાને કારણે તેમાં સફળતા નહોતી મળી.તેનો એક પગ મકાનના કાટમાળ હેઠળ દબાઈ જવાને કારણે ઇજાગ્રસ્ત બન્યો હતી.ગત વર્ષે ઈઝરાયેલ પર થયેલા આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર એવા યાહ્યા સિનવારના શરીરમાં મિસાઈલ અથવા ટેન્કમાંથી છોડવામાં આવેલ ગોળાના સંખ્યાબંધ છરા મળી આવ્યા હતા. તેની છાતીમાં પણ અસંખ્ય છરા ઘૂસી ગયા હતા. જો કે તેનું મૃત્યુ માથામાં વાગેલી ગોળીને કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થયું હતું. સીનવારનો અંત અત્યંત કરુણ હતો.તેનો મૃતદેહ ધૂળ,માટી અને રાખથી ખરડાયેલી હાલતમાં ધ્વસ્ત થયેલા મકાનમાં સોફા પરથી મળી આવ્યો હતો.
ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે ઇઝરાયેલ સેનાની વિશિષ્ટ ટુકડી રફાહમાં તેલ અલ સુલતાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સિનવાર અને અન્ય બે આતંકીઓ નજરે પડ્યા હતા. સેનાએ ગોળીબાર કરતા ત્રણેય અલગ પડી ગયા હતા અને સિનવાર એક મકાનમાં ઘૂસ્યો હતો જ્યાં ઇઝરાયેલી દળોએ તેને પતાવી દીધો હતો. બાદમાં ડ્રોન દ્વારા કરવામાં આવેલા સ્કેનમાં તેનું શરીર નજરે પડ્યું હતું. એ મકાનમાં ઘૂસતા પહેલા પણ ઇઝરાયેલી દળોએ ટેન્ક મારો કર્યો હતો.
નાનો,કદરૂપો અને તૂટેલી આંગળીવાળો: સૈનિકે સિનવારના મૃતદેહ નું વર્ણન કર્યું
ઇઝરાયેલના લેટેનન્ટ કર્નલ ઇતામાર એઇતામે સિનવારના અસ્તિત્વને ભગવાનના અપમાન સમાન જણાવ્યું હતું. તેણે કહ્યું કે ભગવાને તેની કઈ કલ્પનામાં આ માણસને સર્જ્યો હશે? તેણે આગળ ઉપર જણાવ્યું કે આ માણસે અમને કેટલી બધી પીડા આપી હતી. મેં તેના નાશ પામેલા શરીર સામે જોયું, તમે નહીં માનો પણ મેં તેના માટે પણ પીડા અનુભવી. આ માણસ પણ ક્યારેક નાનકડો બાળક હતો, તેની પાસે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવાની તક હતી પણ તેણે શેતાનનો માર્ગ પસંદ કર્યો. ઇતમારે ઉમેર્યું,” મેં થોડીવાર માટે તેની આંખોમાં જોયું. તે નાનકડો, કદરૂપો અને તૂટેલી આંગળી વાળો હતો..”