લો બોલો! ફાંકા મારવામાં અવ્વલ PM શહબાઝને આવ્યું સપનું: “કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે”, PoK વિધાનસભામાં આપ્યું નિવેદન
પોતાના દેશમાં બ્લુચિસ્તાન જેવી આંતરિક સમસ્યાઓ કાબૂમાં નથી છતાં પાકિસ્તાન ફરી કાશ્મીર મુદ્દે જૂનું રાજકીય રાગ આલાપવાનું ચાલુ રાખ્યું છે. “કાશ્મીર એક દિવસ પાકિસ્તાનનો ભાગ બનશે” એવો દાવો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પાક અધિકૃત કાશ્મીર (PoK)ની વિધાનસભામાં કર્યો. ગુરુવારે ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં સંબોધન કરતા શરીફે કહ્યું કે તેઓ પાકિસ્તાની જનતા અને નેતૃત્વ તરફથી કાશ્મીરી ભાઈઓ સાથે એકતા દર્શાવવા આવ્યા છે.
શરીફે દાવો કર્યો કે કાશ્મીર પ્રશ્નનો ઉકેલ કાશ્મીરના લોકોની ઇચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોના અમલમાં છે. તેમણે કાશ્મીર મુદ્દાને પેલેસ્ટાઈન સાથે પણ જોડ્યો અને અલગાવવાદી નેતાઓ તથા આતંકવાદી બુરહાન વાનીના નામોના ઉલ્લેખ કર્યો.તેમણેભારત પર પ્રોક્ષી મારફત આતંકવાદ ફેલાવવાનો આરોપણ મૂક્યો હતો.
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે ટી-20 ચેમ્પિયન બનવાની તક: સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતવાનો અવસર, જાણો ભારતીય ટીમની નબળાઈ-તાકાત વિશે
2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસનાઘર્ષણ બાદ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી જીવંત થયો હોવાનો દાવો કરે તેમણે કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવી હતી.એ પહેલાં ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ નિમિતે POk અને પાકિસ્તાનમાં રેલીઓ-સેમિનારો યોજાયા હતા. સવારે 10 વાગ્યે એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તથા સેનાના ત્રણેય વડાઓએ પણ “રાજકીય અને કૂટનીતિક સમર્થન જાહેર કર્યું હતું.આર્મી ચીફ અસિમ મુનિરે મુઝફ્ફરાબાદની મુલાકાત લઇ સરહદી ચેકપોસ્ટે સૈનિકોને સંબોધન કરી અને કોઈ પણ આક્રમણનો તાત્કાલિક જવાબ આપવાની ચીમકી આપી હતી
