રોહિત શર્મા સુપર સે ઉપર !! ધોની ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, પહેલા કેપ્ટને આ સિધ્ધી પ્રાપ્ત કરી
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મંગળવારે ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલી (૮૪) ના શાનદાર બેટિંગ પ્રદર્શનના આધારે, ભારતે ૪૮.૧ ઓવરમાં ૨૬૫ રનના લક્ષ્યનો પીછો કર્યો. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે દુબઈના મેદાન પર રમાશે. કેપ્ટન તરીકે, રોહિતે ICC ટુર્નામેન્ટમાં ‘ફોર’ ફટકારીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તે કેપ્ટનોમાં સુપરથી ઉપર પહોંચી ગયો છે.
રોહિત બન્યો પહેલો કેપ્ટન
આ જીત બાદ રોહિત શર્મા ચારેય મોટી ICC ઈવેન્ટ્સની ફાઈનલમાં જગ્યા બનાવનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ વનડે વર્લ્ડ કપ-2023 અને T20 વર્લ્ડ કપ-2024માં પણ ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું. 2023માં ભારતનો પરાજય થયો હતો અને આ ઘા તેને ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો. જ્યારે 2024માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હતું. આમ, જે ધોની ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું.
રોહિત બ્રિગેડ હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને 12 વર્ષના ટ્રોફીના દુષ્કાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લે 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી, રોહિતે કહ્યું, “ફાઇનલ પહેલા, તમે ઇચ્છો છો કે બધા ખેલાડીઓ ફોર્મમાં હોય. આનાથી આત્મવિશ્વાસ વધે છે. આપણે સામે કોણ છે તે વિશે વધારે વિચારીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ હવે આરામ કરે.” ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ બુધવારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, ત્યારબાદ બીજા ફાઇનલિસ્ટનો નિર્ણય લેવામાં આવશે.
ટીમ ઈન્ડિયાનો વિજય ક્રમ
ટીમ ઈન્ડિયાની આ દુબઈમાં સતત નવમી જીત છે. છેલ્લી 10 મેચમાંથી ભારત આ મેદાન પર કોઈ પણ મેચ નથી હાર્યું. નવ મેચમાં જીત હાંસલ કરી છે તો બીજી તરફ એક મેચ ટાઈ રહી છે. કોઈ એક મેદાન પર સતત મેચ જીતવાના મામલે ભારત બીજા નંબર પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે જેણે ડુનેડિનમાં સતત 10 મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયાને ત્રીજી વખત હરાવ્યું
ICC ચેમ્પિયન્સ ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે આ ત્રીજી જીત છે. 1998માં ભારતે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 2000માં પણ ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે હારી ગયું હતું. હવે આ ત્રીજી વખત છે જ્યારે ભારત બીજી મારવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત ભારતે જે ટાર્ગેટ ચેઝ કર્યો છે તે ICC વનડે નોકઆઉટ ઓસ્ટ્રેલિયા સામે ચેઝ કરેલો સૌથી મોટો ટાર્ગેટ પણ છે.