Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો: સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓને આજીવન કેદની સજા

Wed, October 1 2025

રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આજે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 2023માં સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. હંમેશા લોકોની અવર-જવરથી ધમધમતી રહેતી સોની બજારમાં અમદાવાદ ATSએ દરોડો પાડી દેશ વિરોધી પ્રવૃતિ કરતા અમન સિરાજ મલિક, અબ્દુલ શુકરઅલી શેખ, શાહનવાઝ એબૂ શાહીદને વર્ષ 2023માં ઝડપી લીધા હતા ત્યારે આજે આ ત્રણેય આતંકીઓને રાજકોટ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે.

શું છે સમગ્ર ઘટના?

હંમેશા લોકોની અવર-જવરથી ધમધમતી રહેતી સોની બજારમાં એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ગત 26 જુલાઈ 2023ના રોજ ATS (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)એ ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કંઈક પણ કરી છૂટવાની તૈયારીમાં રહેલા ત્રણ આતંકીઓને પકડી પાડતાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો હતો.  રાજકોટ ખાતે સોની બજારમાં નોકરી કરતા અને અલકાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. જેની સામેનો ગુનો પુરવાર થતા ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

આતંકીઓના ફોનમાંથી રાહે-એ-હિદાયત ગ્રુપની દેશવિરોધી પ્રવૃત્તિની વિગતો મળી હતી ત્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વ્હોટસએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે. ત્યારે ગુનો પુરવાર થતા ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના

આજથી 2 વર્ષ પહેલા એટલે કે 26 જુલાઈ 2023ના રોજ રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખતાં ગુજરાત ATS સોની બજારમાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી ત્યારે આજે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ત્રણેય આતંકીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. ATSએ ધરપકડ કર્યા બાદ પકડાયેલા આતંકીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  દરમિયાન એવો ખુલાસો થયો છે કે તેઓ વીડિયો મારફતે એકે-47 રાયફલ ચલાવવાનું શીખી રહ્યા હતા

આ પણ વાંચો :રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી

આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા

દરમિયાન ગુજરાત એટીએસના એસપી ઓમપ્રકાશ જાટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે બાતમીના આધારે સોની બજારમાંથી અમન સીરાજ, શુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં સંગઠનની તંજીમનો પ્રચાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો :તહેવારોની સિઝનમાં લોનધારકોને કોઈ રાહત નહીં : RBIએ રેપો રેટ 5.50% પર રાખ્યો યથાવત્, GDP વૃદ્ધિનો અંદાજ

સાથે સાથે રાજકોટમાં રહેતાં બંગાળના અન્ય યુવાનોને પણ સંગઠન (તંજીમ) સાથે જોડાવવા પ્રેરિત કરી રહ્યા છે. આ ત્રણેય હથિયારો ખરીદ કરવાની ફિરાકમાં પણ હતા. આ પ્રકારની બાતમી મળતા જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એસ.એલ.ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ એચ.વી.સિસારા, એ.એસ.ચાવડા, બી.એચ.કોરાટ, કે.જે.રાઠોડ, જે.એમ.પયેલ અને પીએસઆઈ બી.ડી.વાઘેલા, વી.આર.જાડેજા, વાય.જી.ગુર્જર, એ.આર.ચૌધરી, એચ.ડી.વાઢેર, ડી.એસ.ચૌધરી, આર.સી.વઢવાણા અને પી.આર.વસાવાની બે ટીમ રાજકોટ દોડી આવી હતી અને ત્રણ દિવસ સુધી આ ત્રણેયની હલચલ પર બાજનજર રાખી હતી.

દરમિયાન 31 જૂલાઈએ અબ્દુલ શુકરઅલી (રહે.ગાર્ડન ચોક રાજકોટ-મુળ પશ્ર્ચિમ બંગાળ), અમન મલિક સિરાજ મલિક (રહે.સોનીબજાર, હસનભાઈ સોનીની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ) અને શૈફ નવાઝ અબુ શાહિદ (રહે.સોનીબજાર, શાહબુદ્દીનની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ)ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ત્રણેયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલિગ્રામ એપ્લીકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ વ્યક્તિઓના પ્રેરિત કરવાથી અલ-કાયદા તંજીમમાં જોડાયો હતો.

ત્યારબાદ આ લોકો પાસેથી કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો તેમજ ઓનલાઈન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર કેવી રીતે ચલાવવું તેની તાલીમ મેળવતો હતો. આ પછી અમન ટેલીગ્રામ અને કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો જે વ્યક્તિ અમનને જેહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને તેના થકી કોઈ મોટા કામને અંજામ આપવા માટે કન્ટ્રી મેડ સેમી ઓટોમેટિક હથિયાર ખરીદ્યુંહતું. તેમજ ફોનમાંથી રાહે-એ-હિદાયત ગ્રુપની દેશવિરોધી પ્રવૃત્તિની વિગતો મળી હતી,

અમને પોતાની સાથે પરિચિત એવા સુકુર અલી અને સૈફ નવાઝ જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય તેમને અલ-કાયદા તંજીમમાં જોડી દીધા હતા. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચીત અન્ય બંગાળી કારીગરોને પણ તંજીમ (અલકાયદા સંગઠન) સાથે જોડાવવા માટે પ્રેરિત કરી રહ્યા હતા.

અત્યારે આ ત્રણેય પાસેથી એક ભારતીય બનાવટની સેમી ઓટોમેટિક પીસ્તલ અને દસ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત પાંચ મોબાઈલ ફોન મળ્યા છે જેમાં અલગ-અલગ સોશ્યલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય પણ મળી આવ્યું હતું.

અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા ત્રણેયને માર્ગદર્શન આપતો હતો

રાજકોટમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ત્રણેયને અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા માર્ગદર્શન આપી રહ્યો હતો. અબુ તલ્હા ઉપરાંત ફુરસાન નામના શખ્સનું નામ પણ ખુલ્યું હતું  જે આખરે કોણ છે તેની તપાસ ચાલી રહી છે. જ્યારે કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી અમન મુઝમ્મીલ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.

‘કુછ બડા કરના હૈ’ હેન્ડલરે ત્રણેય આતંકીઓને આપ્યો’તો મેસેજ
આતંકીઓની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો હતો કે ત્રણેય આતંકીઓને તેના હેન્ડલર દ્વારા ‘કુછ બડા કરના હૈ’ એવો મેસેજ આપવામાં આવ્યો હતો. આ વાતનો મતલબ એ થાય કે આતંકીઓ ટૂંક સમયમાં જ રાજકોટ કે સૌરાષ્ટ્ર-ગુજરાતના કોઈ વિસ્તારમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.




Share Article

Other Articles

Previous

GST ટીમ ગરબાનાં ગ્રાઉન્ડમાં: આદિત્ય ગઢવી,જિગરદાન ગઢવીનાં ગરબામાં દરોડાથી ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો

Next

રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
14 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
15 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
15 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

રાજકોટની મેટોડા જીઆઈડીસીના ગેઈટ નં.1માં આવેલી ઈપીપી નામની કેબલ બનાવતી કંપનીના સ્ટોકયાર્ડમાં આગ: ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજસ્થાનના કોટામાં 24 કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું : બંને JEE પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
જ્ઞાનપ્રકાશ સ્વામીની સાન ઠેકાણે આવી : લાખો લોકોની લાગણી દુભાવ્યા બાદ સ્વામીએ વિરપુરમાં રૂબરૂ આવી માફી માંગી
ગુજરાત
8 મહિના પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! ટ્રેનમાં વધારાનો સામાન લઈ જવા પર થશે દંડ, જાણો રેલ્વેના આ નવા નિયમ વિશે
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર