રાજકોટવાસીઓને મળી નવી ફલાઈટ: ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 29 માર્ચથી રાજકોટથી નવી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે
રાજકોટના પેસેન્જર્સ ને મુંબઈ માટેની વધુ એક નવી ફ્લાઇટ મળશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ એરપોર્ટ થી નવી મુંબઈ માટેની ફ્લાઈટ 29 માર્ચથી ઉડાન ભરવા જઈ રહી છે. 15 માર્ચ ની આસપાસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નો નવો સમર શેડ્યુલ જાહેર થશે તે પૂર્વે ઈન્ડિગો એ નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં રાજકોટથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીની આ ફ્લાઈટ ઉડાન ભરશે.
મળતી વિગતો અનુસાર 29 માર્ચથી સવારે સાત વાગ્યે નવી મુંબઈથી રાજકોટ માટે અને રાજકોટ થી સવારે 8:35 કલાકે નવી મુંબઈ માટેની આ ફ્લાઈટ ટેક ઓફ થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં મુંબઈ માટેની બે ફ્લાઈટ દરરોજ ઉડાન ભરી રહે છે જેમાં વધુ એક નવી ફ્લાઇટ જે ખાસ કરીને મુંબઈના નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઓપરેટ કરાશે. ઇન્ડિગો દ્વારા મુંબઈની બે, દિલ્હીની બે ફ્લાઈટ, ગોવા સપ્તાહમાં ચાર દિવસ આ ઉપરાંત હૈદરાબાદ અને બેંગલોર ડેઈલી જ્યારે પૂણે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ઉડાન ભરે છે.
આ પણ વાંચો:વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસો.બનશે હાઈટેક: આધુનિકીકરણ-ડિજિટલાઇઝેશન માટે ₹1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર
હાલના સમયમાં ઇન્ડિગોની વેબસાઈટ પર ગોવા અને મુંબઈ માટેની સવારની ફ્લાઈટ જોવા મળી રહી નથી.જ્યારે આ બાબતે એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોવા અને દિલ્હીની સવારની ફ્લાઈટ ચાલુ રાખવા દરખાસ્ત કરવામાં આવી છે.
