22 મી જાન્યુઆરીએ યુપીમાં જાહેર રજા, સ્કૂલ કોલેજો બંધ
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આ દિવસે જાહેર રાજયનું એલાન કર્યું હતું. શાળા કોલેજો બંધ રહેશે અને દારૂની દુકાનો પણ બંધ જ રહેશે.
દરમિયાનમાં 22 મીએ સમગ્ર દેશમાં જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગણી કરતો પત્ર પીએમ મોદીને લખ્યો હતો. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને યોગીએ અત્યાર સુધીની સુથી મોટી કહી શકાય તેવી જાહેરાત કરી હતી. જેમાં 22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.
યોગી આદિત્યનાથે અખિલ ભારતીય સંત સમિતિની, હિન્દુ સંગઠનો અને સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે. આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવા તમામ સરકારી ઈમારતોને શણગારવા અને ફટાકડા ફોડવાની સૂચના પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી.