અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
વડાપ્રધાન હાજર રહેશે, જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જાહેરાત
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. આ અંગે મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તેમને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું.
મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે.એમણે ટ્વિટર પર લખ્યું, આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. હમણાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ મને શ્રી રામના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવા કહ્યું. મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું. એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.