મુંબઇમાં દાઉદના કયા ફૅમિલિમેન પાસે પોલીસ પહોંચી ? વાંચો
- દાઉદના કયા ભાણેજની પૂછપરછ ?
- પોલીસ હરકતમાં આવી
કરાચીમાં માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમના મોતની અફવા વચ્ચે મુંબઈ પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને પોલીસ ટુકડીએ મુંબઇમાં રહેતા દાઉદના પરિવારજનો અને સંબંધીઓના ઘરના દરવાજા ખખડાવ્યા હતા. એમની પૂછપરછ કરી હતી.
મુંબઇમાં રહેતા દાઉદના ભાણેજ અલીશાહ પાર્કરની તેમજ સાજિદ વાગલેની પોલીસે પૂછપરછ કરીને દાઉદ વિષે માહિતી મેળવી હતી. જો કે એમણે શું જવાબ આપ્યો હતો તેના વિષે કોઈ માહિતી બહાર આવી નથી. દાઉદની નિકટ મનાતા લોકો પર પણ ચાંપતી નજર રખાઇ રહી છે.