ઓપરેશન અખલના નવમાં દિવસે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં વધુ એક આતંકી ઠાર, 2 જવાન થયા શહિદ : સર્ચ ઓપરેશન યથાવત
જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા આ ઓપરેશનમાં વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 10 સૈનિકો ઘાયલ
અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો ચાલતો આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયો છે.
Update: OP AKHAL, Kulgam
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 9, 2025
Chinar Corps honours the supreme sacrifice of the Bravehearts, L/Nk Pritpal Singh and Sep Harminder Singh, in line of duty for the Nation. Their courage and dedication will forever inspire us. #IndianArmy expresses deepest condolences and stand in… pic.twitter.com/La4i49Ov2h
સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ ઓપરેશન શરૂ કર્યું હતું
ભારતીય સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓની શોધમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
#WATCH | Jammu & Kashmir: Operation continues in Kulgam district for the ninth consecutive day today.
— ANI (@ANI) August 9, 2025
One terrorist has been neutralised so far.
(Visuals deferred by unspecified time; no live operational details disclosed) pic.twitter.com/9ljn4Wv6nX
કુલગામમાં આતંકવાદીઓ સામે ‘અખાલ ઓપરેશન’
સુરક્ષા દળોએ અખાલ જંગલ વિસ્તારને સતત ઘેરી લીધો છે જેથી ત્યાં છુપાયેલા આતંકવાદીઓને મારી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અને સેનાના અધિકારીઓ 24 કલાક ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
શુક્રવારે પણ, ડીજીપી નલિન પ્રભાતે પરિસ્થિતિનો ખ્યાલ રાખવા માટે ઓપરેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આઈજીપી કાશ્મીર વીકે વિરડી પણ તેમની સાથે હતા. ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ પણ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ અને આતંકવાદ વિરોધી ગ્રીડની સમીક્ષા કરી હતી.
સુરક્ષા દળો આતંકવાદીઓને ટ્રેક કરવા માટે ડ્રોન, હેલિકોપ્ટર અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. શોધ શ્વાન પણ તૈનાત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. નવ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીનું આ સૌથી લાંબુ ઓપરેશન છે.
લોકોને ઘરની અંદર રહેવાની સૂચના, નોડલ ઓફિસરની નિમણૂક
અધિકારીઓએ અખાલના રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવાની સલાહ આપી છે. લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી વચ્ચે નાગરિકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, કટોકટી સંપર્ક અને સહાય માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. મદદ માટે, સામાન્ય લોકો DSP DAR (DPL કુલગામ) 9419042364, 7051510656; તહસીલદાર દેવસર 9797144203; SHO પોલીસ સ્ટેશન દેવસર 9682196481, 7051510664; નાયબ-તહસીલદાર અખાલ 7006743818; SI અર્શીદ અહમદ 7006613287 અને MHC દેવસર 9906525978 નો સંપર્ક કરી શકે છે.
