Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હે ભગવાન !! એક અઠવાડિયામાં 90 કલાક કામ, કોણે આપી આવી સલાહ, સોશિયલ મીડિયામાં ટ્રોલ ; દિપીકાએ આપી પ્રતિક્રિયા

Fri, January 10 2025

થોડા સમય પહેલા ઈન્ફોસીસનાં નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની સલાહ આપ્યા બાદ હવે લાર્સન એન્ડ ટુબ્રોનાં ચેરમેન એસએન સુબ્રમણ્યમને અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવાની સલાહ આપી છે એટલુ જ નહી તેમણે પોતાના કર્મચારીઓને એવું પણ કહ્યું છે કે, રવિવારે તમે ઘરે બેસીને કેટલી વાર સુધી પત્નીનું મોઢુ જોયે રાખશો…એના બદલે રવિવારે પણ ઓફિસે આવીને કામ કરો.

આ નિવેદન બાદ એસએન સુબ્રમણ્યમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણે આવા નિવેદન અંગે નારાજગી વ્યકત કરી છે અને કહ્યું છે કે, આવા ઉચ્ચ પદ ઉપર બેઠેલા લોકો આવા વાહિયાત નિવેદનો કરે તે વ્યાજબી નથી. અભિનેતા નકુલ મહેતાએ પણ આવા નિવેદનની ટીકા કરી છે.

કર્મચારીઓના નામ પર એક વીડિયો મેસેજમાં સુબ્રમણ્યને સલાહ આપી છે કે કર્મચારીઓએ અઠવાડીયામાં 90 કલાક કામ કરવું જોઈએ. વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, એલએન્ડટી પોતાના કર્મચારીઓને શનિવારે કામ કેમ કરાવે છે. તો તેના જવાબમાં સુબ્રમણ્યને કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને ખેદ છે કે હું આપની પાસે રવિવારે કામ નથી કરાવી શકતો. જો આપને રવિવારે કામ કરાવી શકું તો મને વધારે ખુશી થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરુ છું.

તેમણે આગળ કહ્યું કે, ઘરે રજા લેવાથી કર્મચારીને શું ફાયદો થશે. તમે ઘરે બેસીને શું કરશો? તમે તમારી ઘરવાળીને કેટલો સમય સુધી જોયા કરશો? પત્નીઓ પોતાના પતિને કેટલી વાર સુધી જોયા રાખશે? ઓફિસે જાવ અને કામ કરવાનું શરુ કરો.

એલએંડટી ચીફે એક ચીની સખ્સ સાથે થયેલી વાતચીત લોકો સાથે શેર કરી. સુબ્રમણ્યને આગળ ચીની વ્યક્તિને કહ્યું કે, ચીની લોકો અઠવાડીયામાં 90 કલાક કામ કરે છે, જ્યારે અમેરિકી અઠવાડીયામાં ફક્ત 50 કલાક જ કામ કરે છે.

તેમના નિવેદન પર બિઝનેસથી ળઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પ્રતિક્રિયા આપતા કંપનીએ તેમના ચેરમેનના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે.

એસએન સુબ્રમણ્યમના નિવેદનની નિંદા કરતા બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જાણીને શોક લાગ્યો કે આટલા ઊંચા હોદ્દા પર બેઠેલા એક સીનિયર આવું નિવેદન આપે છે, મેન્ટલ હેલ્થ મેટર કરે છે.

ચેરમેનનો પગાર 51 કરોડ… તેમના કર્મચારીઓ કરતા 534 ગણો વધુ!

એસએન સુબ્રમણ્યમ, તગડો પગાર મેળવે છે. બિઝનેસ ટુડે પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તેમનો કુલ પગાર ૫૧ કરોડ રૂપિયા હતો અને પાછલા  વર્ષની સરખામણીમાં તેમનો પગાર ૪૩.૧૧% વધ્યો છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024 માટે સુબ્રમણ્યમના પેકેજમાં અન્ય ભથ્થાં અને રકમ ઉપરાંત 3.6 કરોડ રૂપિયાનો મૂળ પગાર અને 35.28 કરોડ રૂપિયાનું કમિશન શામેલ હતું.

ચેરમેનના પગાર અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પેકેજમાં કેટલો તફાવત છે.  વર્ષ 2023-24માં કર્મચારીઓને આપવામાં આવેલું સરેરાશ પેકેજ 9.55 લાખ રૂપિયા હતું અને આ મુજબ, એસએન સુબ્રમણ્યમનો પગાર એલ એન્ડ ટી કર્મચારીઓના સરેરાશ પગાર કરતા 534.57 ગણો વધુ હતો.

વિવાદ બાદ કંપનીએ કરી સ્પષ્ટતા

એસએન સુબ્રમણ્યન નિવેદન બાદ ટ્રોલ થતા કંપનીએ એક નિવેદન જારી કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણ એ અમારા આદેશનો મુખ્ય ભાગ છે, છેલ્લા 8 દાયકાથી વધુ સમયથી અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ અને તકનીકી ક્ષમતાઓને આકાર આપવામાં રોકાયેલા છીએ. અમારું માનવું છે કે આ ભારતનો દાયકા છે, એક એવો સમય જેમાં વિકાસને આગળ વધારવા અને વિકસિત રાષ્ટ્ર બનવાના અમારા સહિયારા દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સામૂહિક સમર્પણ અને પ્રયત્નોની જરૂર છે. અમારા ચેરમેનની ટિપ્પણીઓ આ મોટી મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે, જે ભાર મૂકે છે કે અસાધારણ પરિણામો માટે અસાધારણ પ્રયત્નોની જરૂર છે. L&T માં, અમે એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં જુસ્સો, હેતુ અને પ્રદર્શન આપણને આગળ ધપાવે છે.

Share Article

Other Articles

Previous

દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી બારમા ધોરણનો વિદ્યાર્થી આપતો હતો

Next

ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો : સજા સામે સ્ટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

આંધ્ર વિધાનસભામાં એનડીએનો સપાટો .. વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તરફ વળ્યા રોકાણકારો , SIPની લોકપ્રિયતા વધી
બિઝનેસ
9 મહિના પહેલા
શહીદ થયેલા ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં !! જાણો પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતનું યોગદાન શું હતું ??
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
કારીગરોને લાગ્યું સોનાનાં ભાવનું ગ્રહણ : રાજકોટથી વતન ગયેલાં 50,000થી વધુ બંગાળીઓ પરત ન ફર્યા..!
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર