નરગીસ ફખરીની બહેનની ધરપકડ : એકસ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને સળગાવીને મારી નાખવાનો આરોપ
બોલિવૂડની બ્યુટીફૂલ અભિનેત્રી નરગીસ ફખરી હાલમાં પોતાને ફિલ્મો માટે નહીં, પરંતુ તેની બહેન આલિયા ફાખરીને કારણે ચર્ચામાં આવી છે. નરગીસ ની બહેન આલિયાની મંગળવારે હત્યાના આરોપ સામે ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નરગીસ ની બહેને ન્યૂયોર્કમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી, જેમાં તેની પૂર્વ અને તેની ગર્લફ્રેન્ડનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે નરગીસ ની બહેનને કસ્ટડીમાં લીધી છે.
નરગીસની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ
મળતી માહિતી મુજબ, નરગીસ ફખરીની બહેન આલિયા ફખરી તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પેચઅપ કરવા માંગતી હતી. પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સે તેની સાથે ફરીથી સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. આનાથી ગુસ્સે થઈને નરગીસ ની બહેને તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની વર્તમાન ગર્લફ્રેન્ડ એટીનીની હત્યા કરી નાખી.

આલિયાએ તેના પૂર્વ બોયફ્રેન્ડની કેવી રીતે હત્યા કરી ?
આ સમગ્ર મામલે ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ની બહેને ન્યૂયોર્કમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં તેની ભૂતપૂર્વ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે નરગીસ ની બહેનને કસ્ટડીમાં લીધી છે. પોલીસે તેઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આલિયા ફખરી પર ફર્સ્ટ-ડિગ્રી હત્યાના ચાર ગુનાઓ તેમજ અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે. તેણી પર જમૈકા, ક્વીન્સમાં તેના ભૂતપૂર્વના ઘરના ગેરેજમાં ઇરાદાપૂર્વક જીવલેણ આગ લગાડવાનો આરોપ છે, જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સ, 35, અને તેની ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા એટિની, 33ની હત્યા કરવામાં આવી હતી.
તપાસ અને આરોપો અનુસાર, પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે આલિયા ફખરી સવારે 6:20 વાગ્યે જેકબ્સના બે માળના ઘરે પહોંચી હતી અને આગ લગાડતા પહેલા “તમે બધા આજે મરી જવાના છો” એવી બૂમો પાડી હતી. ત્યારબાદ આલિયાએ બિલ્ડિંગના ગેરેજમાં આગ લગાવી દીધી. જ્યારે એટિને આગ જોઈ, ત્યારે તે ઝડપથી નીચે દોડી ગઈ, જ્યાં જેકબ્સ ગેરેજના બીજા માળે સૂતા હતા. એટિને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી અને બંને ત્યાં જ ફસાઈ ગયા હતા.
એટર્ની મેલિન્ડા કાત્ઝે કહ્યું છે કે ધુમાડા અને સળગી જવાને કારણે પીડિતોનું દુઃખદ મૃત્યુ થયું છે. અમારા વિચારો એડવર્ડ જેકબ્સ અને અનાસ્તાસિયા એટિએનના પરિવારો સાથે છે કારણ કે આ કેસની કાર્યવાહી ચાલી રહી છે.
આલિયા પર ઘણા આરોપો
મળતી માહિતી મુજબ, આલિયા ફખરીની 26 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે, એક ગ્રાન્ડ જ્યુરીએ તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને ચાર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂક્યો. વધુમાં, ફર્સ્ટ-ડિગ્રી આગજની અને સેકન્ડ-ડિગ્રી આગજની એક-એક ગણતરી પર આરોપ મૂકવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેના પરના આ ગંભીર આરોપો સાબિત થાય છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.
જેકબ્સની માતાએ તેના પુત્રના મૃત્યુ પર શું કહ્યું ?
જેકોબ્સની માતા જેનેટે ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે, ‘જેકબ્સનું લગભગ એક વર્ષ પહેલા આલિયા ફખરી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. કોઈ પણ વ્યક્તિની જેમ જેને નકારવામાં આવે છે, તે તેને કહેતો હતો કે ‘હું તારાથી કંટાળી ગયો છું.’ મારાથી દૂર થઈ જાવ’. તે છેલ્લા એક વર્ષથી તેને એકલા છોડી દેવા માટે કહેવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ આલિયા તેના અસ્વીકારને સ્વીકારવામાં સક્ષમ ન હતી. જેકોબ્સની માતાએ પણ જણાવ્યું કે જેકોબ્સને ત્રણ બાળકો છે. તેઓ પોતાની પાછળ 11 વર્ષના બે જોડિયા પુત્રો અને 9 વર્ષના છોકરાને છોડી ગયા છે.
નરગીસની માતા પોતાની પુત્રીને નિર્દોષ માને છે
તે જ સમયે, નરગીસ અને આલિયા ફખરીની માતાએ ન્યૂયોર્ક ડેઈલી ન્યૂઝને કહ્યું કે તેમને નથી લાગતું કે તેમની પુત્રીને આગ સાથે કોઈ લેવાદેવા છે. તેણે કહ્યું- ‘મને નથી લાગતું કે તે કોઈને મારી નાખશે. તે એક એવી વ્યક્તિ છે જે દરેકની સંભાળ રાખે છે.
ઓનલાઈન જેલ રેકોર્ડ મુજબ, આલિયા ફખરીને તેની આગામી સુનાવણી સુધી રાઈકર્સ આઈલેન્ડના રોઝ એમ. સિંગર સેન્ટરમાં રાખવામાં આવી છે. કોર્ટમાં તેની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે થશે. જોકે, આલિયાએ આ આરોપોમાંથી પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ હવે આ સમગ્ર મામલે કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.