છત્તીસગઢમાં રહસ્યમય ઘટના : ઘરમાં સળગેલી હાલતમાં પતિ, પત્ની, પુત્રીના મૃતદેહ મળ્યા ; પોલીસ તપાસ શરૂ
છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લામાં કાળજુ કંપાવનારી ઘટનાબની હતી. અહીં પતિ-પત્ની અને 3 વર્ષની બાળકીના મૃતદેહ બળી ગયેલી હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતી. આ મામલે સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજામાં લઇ તપાસ શરૂ કરી હતી.
પોલીસે મીડિયાને જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભંવરમારા ગામમાં ઘટી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય ભગવત સિન્હા, તેમની 35 વર્ષીય પત્ની તનુ અને 3 વર્ષની દીકરી ભવ્યા તરીકે થઈ છે. જ્યારે ભગવતનો ભત્રીજો તેમના ઘરે પહોંચ્યો ત્યારે આ ઘટનાનો ખુલસો થયો હતી.

તેણે જોયું તો દરવાજો અંદરથી બંધ હતો. તેણે ઘણી વખત દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ તે પાછલા દરવાજાથી ઘરની અંદર પહોંચ્યો અને બેડરુમ પર તેની નજર ગઈ તો તે ચોંકી ગયો. રૂમમાં ત્રણ બળી ગયેલા મૃતદેહો પડ્યા હતા. ત્યારબાદ તેણે આ મામલે પોલીસને જાણ કરી હતી.
સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઘટના સ્થળ પર તપાસ દરમિયાન પોલીસને એલપીજી સિલિન્ડર બેડરૂમની બહાર મળી આવ્યો, જેનો પાઈપ દરવાજાના કિનારાથી રૂમની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક સ્ટોવ લાઈટર પણ ઘટના સ્થળ પરથી રિકવર કરવામાં આવ્યું હતું.