Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં 17 બાળકોને બંધક બનાવવાનો મામલો: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી રોહિત આર્યનું મોત,જાણો શું છે સમગ્ર મામલો

Thu, October 30 2025


મુંબઈના પવઈ વિસ્તારમાં ગુરુવારે બપોરે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં યુટ્યુબ ચેનલના ઓડીશન માટે 100 જેટલા બાળકોને બોલાવી તેમાંથી 17 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને ધમકી પણ આપવામાં આવી હતી. પોતે આતંકવાદી નથી તેવો ખુલાસો કરનાર રોહિત આર્ય નામના આ શખસે આત્મવિલોપનની ધમકી પણ આપી હતી. જો કે, પોલીસ તેની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં તેને ગોળી લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એક  એરગન પણ મળી આવી હતી. આ પહેલા એક વિડીયો સંદેશામાં રોહિત આર્ય નામના આ શખસે  કહ્યું હતું કે, મારો ઈરાદો ખરાબ નથી પણ મારી કેટલીક માંગણી સંતોષવામાં આવે. જો આમ નહી થાય તો બાળકોને નુકસાન થઇ શકે છે. આ ઘટના બાદ દોડી ગયેલી પોલીસે બુદ્ધિપૂર્વક પ્લાન કરીને તમામ બાળકોને સહીસલામત છોડાવ્યા હતા અને યુટ્યુબરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, તેણે ગોળીબાર કરતા પોલીસે વળતો પ્રહાર કર્યો હતો અને તેનું એનકાઉન્ટર કરી નાખ્યું હતું. લગભગ ત્રણથી ચાર કલાક ચાલેલા આ ડ્રામાને લીધે અનેક વાલીઓ અને પોલીસ તંત્રનો જીવ ઉંચો થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના અંગેની વિગત અનુસાર, પવઈણા આર.એ સ્ટુડિયોમાં રોજ અનેક બાળકો માટે એક્ટિંગના ક્લાસ અને ઓડીશન યોજવામાં આવે છે. આજે પણ 100 જેટલા બાળકો ઓડીશન માટે ગયા હતા. આ દરમિયાન આ જ સ્ટુડિયોણા કર્મચારી અને યુ ટ્યુબ ચલાવતા રોહિત આર્યએ 80 જેટલા બાળકોને જવા દીધા હતા અને બાકીના 17 જેટલા બાળકોને સ્ટુડિયોમાં જ બળજબરીથી રોકી રાખ્યા હતા.

સંયુક્ત કમિશનર સત્યનારાયણ ચૌધરીએ  જણાવ્યું હતું કે રોહિત આર્યાએ આ દરમિયાન એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો  જેમાં તે પોતે બાળકોનું અપહરણ કરનાર હોવાનું કબૂલીને કહ્યું કે, આ કૃત્ય એક યોજનાનો ભાગ છે.  રોહિતનો દાવો હતો કે કેટલાક લોકો સાથે વાતચીત કરાવવા માટે તેણે બાળકોને બંધક બનાવ્યા હતા.

આ પણ વાંચો : ફેસલેસ સિસ્ટમથી વિલંબ: ગુજરાતમાં 3 લાખ કરોડ ઇન્કમટેક્સનાં વિવાદમાં અટવાયા!

આરોપીએ કહ્યું કે, ‘ન તો હું આતંકવાદી છું, ન તો મારી પૈસાની કોઈ માંગણી છે. મારે અમુક સવાલો કરવાના છે અને આ જ કારણોસર મેં અમુક બાળકોને બંધક બનાવ્યા છે. મેં આ બાળકોને એક યોજના હેઠળ જ બંધક બનાવ્યા છે. આ વિચારપૂર્વકનું પગલું છે. હું બાળકોને બંધક બનાવવા જઈ રહ્યો છું. જો હું જીવતો રહ્યો તો ચોક્કસ કરીશ અને જો મરી ગયો તો કોઈ બીજું કરશે, પણ આ થશે જરૂર.’

આરોપીએ વધુમાં કહ્યું કે, ‘જો તમારી તરફથી જરા પણ ખોટું પગલું ભરવામાં આવ્યું, તો હું આખી જગ્યાને આગ લગાવી દઈશ અને પછી હું મરી જઈશ. હું મરું કે ન મરું, બાળકો વગર કારણે હર્ટ થશે અને આઘાતગ્રસ્ત થશે. તેનો જવાબદાર હું નહીં હોઉં. તેનો જવાબદાર તે લોકો હશે, જેઓ વગર કારણે મને ઉશ્કેરી રહ્યા છે, જ્યારે હું માત્ર વાત કરવા માંગુ છું.’

વિડીયો સંદેશમાં, આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે  “હું એકલો નથી. મારી સાથે ઘણા લોકો છે. હું વાત કરીશ અને ઉકેલ લાવીશ.

આ પણ વાંચો : રાજકોટમાં ફિલ્મ જોવા નીકળેલા યુવકની જિંદગીની ‘ફિલ્મ’ કાળમુખા ટ્રકે પૂરી કરી નાખી : 18 વર્ષીય યુવકનું મોત

પોલીસે કહ્યું હતું કે, ઘટનાસ્થળે એક એરગન અને કેટલાક રસાયણો પણ મળી આવ્યા છે. આરોપી એકલો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર, રૂમમાં બે અન્ય લોકો હતા, જેમાં એક વૃદ્ધ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

સરકારી કોન્ટ્રાકટના રૂપિયા કઢાવવા કારસો કર્યો

રોહિત આર્યએ બાળકોને બંધક શા માટે બનાવ્યા હતા તે અંગે પોલીસે સત્તાવાર રીતે કોઈ વિગત આપી નથી પરંતુ સુત્રો અનુસાર, શિવસેનાની સરકાર વખતે તેને સરકારી શાળાનો કોઈ કોન્ટ્રાકટ મળ્યો હતો અને તેના પૈસા બાકી હતા. સરકારમાંથી પોતાના પૈસા કઢાવવા માટે તેણે ભરપુર પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈ જવાબ મળતો ન હતો.આ કારણોસર તે પરેશાન રહેતો હતો અને આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો હતો. અંતે તેના દિમાગમાં બાળકોને બંધક બનાવીને પોતાની માંગ સંતોષવા માટેનો વિચાર આવ્યો હતો અને તેણે અંજામ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

CBSEની ધો.10 અને ધો.12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે:9 એપ્રિલ સુધી ચાલશે;પરીક્ષાનું ટાઈમ ટેબલ બોર્ડની સાઇટ પર મુકાયું

Next

ફેસલેસ સિસ્ટમથી વિલંબ: ગુજરાતમાં 3 લાખ કરોડ ઇન્કમટેક્સનાં વિવાદમાં અટવાયા!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
દેવદિવાળી 2025: બારસ તિથિનો ક્ષય હોવાથી બે દિવસ ઉજવાશે ‘તુલસી વિવાહ’, જાણો શેરડીનો માંડવો બનાવવાનુ મહત્વ
6 મિનિટutes પહેલા
ચૂંટણીનું વર્ષ છે, ટાર્ગેટ પૂરો ન થાય તો થોડા હળવા રહેજો ! RMCની વેરા વસૂલાત શાખાને મૌખિક આદેશ છૂટ્યાનો ગણગણાટ
14 મિનિટutes પહેલા
 મર્યા પછી પણ શાંતિ નહીં! સપ્ટેમ્બર બાદના મરણ દાખલા ઈ-મેઈલથી મળશે
31 મિનિટutes પહેલા
રાજકોટના પૂર્વ મેયરના વોર્ડમાં ગાબડુંઃ કોર્પોરેટરના પતિ ‘આપ’ના થયા! ભાજપ છાવણી ચિંતામાં
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2608 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટને ‘કમાણી’ ડબલ: દર મહિને 3 કરોડની આવક
રાજકોટ
7 મહિના પહેલા
રાજકોટના આશાપુરાનગરમાં ફાઇનાન્સરના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડા : સાત મહિલા ઝડપાઇ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ન વરસાદ, ન બીજું કોઈ વિઘ્ન છતાં ક્રિકેટરો મેદાને ન ઉતર્યા !!
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
આવતીકાલે અષાઢી બીજ અને રવિપુષ્યામૃતનો શુભ સંગમ :  ખરીદી કરવી નીવડશે ખુબ જ લાભદાયી
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર