- અર્જુન એવોર્ડ વિજેતા સમરેશ જંગનો પરિવાર છેલ્લા 75 વર્ષથી સિવિલ લાઇન્સમાં રહે છે
- મનુ ભાકરના કોચને 48 કલાકમાં જ દિલ્હીનું મકાન ખાલી કરી દેવા નોટિસ
- મનુ ભાકર અને સરબજોતને માર્ગદર્શન અપવા પેરિસ ગયા હતા ત્યારે જ તંત્રએ નોટિસ આપી
ઓલિમ્પિક વિજેતા મનુ ભાકર અને સરબજોતના કોચ અને અર્જુન એવોર્ડ વિજેતા શૂટર સમરેશ જંગને દિલ્હીની સિવિલ લાઇન્સમાં આવેલા તેમના મકાનને બે દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ મળી હતી.તેમનો પરિવાર છેલ્લા 75 વર્ષથી આ મકાનમાં રહે છે અને ભાડું તથા ટેક્સ પણ ચૂકવે છે.
જંગ પેરિસ ખાતે મનુ ભાકર અને સરબજોતને માર્ગદર્શન આપી ભારત પરત ફર્યા ત્યારે તેમને આ નોટિસ ની જાણ થઈ હતી. તેમના ઉપરાંત તેઓ જ્યાં રહે છે એ ખાયબર પાસ કોલોનીના અન્ય 200 પરિવારોને પણ તેમના મકાન ખાલી કરી દેવાની દિલ્હી લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ કોલોનીની માલિકી રક્ષા મંત્રાલયની હોવાનું જણાવી આ નોટિસ ઠપકારવામાં આવી હતી.
બે દિવસમાં મકાન ખાલી કઈ રીતે થાય? અમે ક્યાં જઈએ
સમરેશ જંગે કહ્યું કે અમે આ મકાનમાં 75 વર્ષથી રહીએ છીએ. 1978માં એક મી. સિંઘને જમીન અને મકાન લીઝ ઉપર આપવામાં આવ્યા હતા અને ત્યારથી અમે તેનું નિયમિત ભાડું અને ટેક્સ ચૂકવીએ છીએ. તંત્રની આ નોટિસ સામે મકાન ધારકોએ હાઇકોર્ટમાં દાદ માગી છે. સમરેશ જંગે કહ્યું કે હું કાયદાથી ઉપર નથી. જો અદાલત એમ માને કે તંત્રનો આ નિર્ણય યોગ્ય છે તો હું મકાન ખાલી કરી દઈશ. પણ માત્ર બે દિવસમાં મકાન કેવી રીતે ખાલી થાય? અમે ક્યાં જઈએ? તંત્રએ કમસેકમ થોડા મહિનાનો સમય આપવો જોઈએ. તેમણે કહ્યું કે મારા ઘરમાં 1000 પુસ્તકોની લાઇબ્રેરી છે અને મારો ભાઈ ભાડે મકાન શોધી રહ્યો છે.
ભારતના ‘ગોલ્ડનફિંગર ‘ તરીકે ઓળખાય છે.
સમરેશ સંઘના પિતા ઇન્ડિયન આર્મીના નિવૃત્ત કર્નલ છે. તેમના દાદા સમશેર જંગ સ્વાતંત્ર સેનાની અને જાણીતા શુટર હતા. સમરસ જંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ્સ મેળવ્યા છે. 2002 થી 2010 વચ્ચે તેમણે સાત સુવર્ણચંદ્રક ચાર રજતચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મેળવી વિક્રમ સર્જ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ તેમને ‘ ગોલ્ડનફિંગર ‘ નું ઉપનામ મળ્યું હતું.તેવોCIFSમાં ફરજ બજાવે છે.