ભાજપમાં મહાભરતી મેળો : જુઓ કોણે – કોણે કેસરિયા કર્યા
કમલમ ખાતે સી.આર. પાટિલની હાજરીમાં સેંકડો આગેવાનો ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓનાં રાજીનામાં પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષનાં કદાવર નેતા નારણ રાઠવા પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય આજે અંદાજિત ૧૦,૫૦૦થી વધુ લોકો કેસરિયો ધારણ કર્યો છે. આજના ભરતી મેળામાં અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં આ તમામ લોકો ભાજપમાં જોડાયા છે.
સી.આર. પાટીલે કહ્યું કે, ૧૦,૫૦૦થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે. તમે સહુ એક પક્ષના કાર્યકર તરીકે જોડાયેલ હતા,તમને ઈચ્છા હતી કે લોકોના કામ થાય છે. પણ તમે જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. તમને એ વાત ખૂંચતી હતી કે પક્ષનું કોઈ લક્ષ્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી ઉપર આજે દેશ અને દુનિયાને ભરોસો છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી. મોટા દેશના નેતાઓએ પણ નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથથર ઉપર લકીર છે. કોંગ્રેસે આજ સુધી અભી બોલા અભી ફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. 1980 માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધી તમામ વચન પીએમે પૂર્ણ કર્યા છે.