કર્ણાટકમાં લિંગાયત અંતેઅંતે ઉમેદવારી પાછી ખેંચી
કર્ણાટકમાં બીજા ચરણના મતદાન પૂર્વે ધારવાડ ની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર સિરાહાટી મઠના લિંગાયત સંત દિંગાલેશ્વર સ્વામીએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપે રાહતનો દમ ખેંચ્યો છે.આ સંતે એ બેઠક પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી માટે પડકાર સર્જ્યો હતો. ધારવાડ આમ તો ભાજપનો ગઢ છે.પ્રહલાદ જોશી 2009 થી સતત ત્રણ ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ચૂંટાતા આવ્યા છે પણ તેઓ લિંગાયત સમાજ અને લિંગાયત નેતાઓ સાથે ભેદભાવપૂર્ણ વલણ ધરાવતા હોવાના આક્ષેપ સાથે લિંગાયત સમાજમાં મોટું નામ ધરાવતા આ સંતે ઉમેદવારી કરતાં એ બેઠક પરના સમીકરણો બદલાયા હતા.જો કે હવે તેમણે ઉમેદવારી પરત ખેંચતા ભાજપ સામેનો એ પડકાર દૂર થયો છે.દિંગ્લેશ્વર સ્વામીએ તાજેતરમાં હુબલીમાં લિંગાયત સમુદાયની એક યુવતીની મુસ્લિમ યુવાનના હાથે હત્યા થયા બાદ આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.જો કે બે દિવસ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ પણ તેમને ઉમેદવારી પત્રક પાછું ખેંચવા વિનંતી કરી હતી.
વિજયી થઈને ભાજપમાં પરત ફરીશ: કેએસ એશ્વરપ્પા
કર્ણાટકમાં યેદીયુરપ્પાનો પરિવારવાદ ચાલતો હોવાની ટીકા કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ એશ્વરપ્પાને ભાજપે છ વર્ષમાંથી હાંકી કાઢ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું આ હકાલપટ્ટીથી ડરતો નથી.અપક્ષ તરીકે હું વિજય થઈશ અને બાદમાં ભાજપમાં પરત ફરીશ.