કર્ણાટકના ઔરવ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કોંગ્રેસ અંગે શું કર્યો ધડાકો ? વાંચો
- કોંગ્રેસના એક મંત્રી વિષે શું કહ્યું ?
- કેટલા ધારાસભ્યો પાર્ટી છોડશે ?
કર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાનો અને કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીઓ થઈ રહી હોવાનો જેડીએસએ દાવો કર્યો છે. આ ચોંકાવનારું નિવેદન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામી એ આપ્યું હતું. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે, સત્તાધારી કોંગ્રેસના એક દિગ્ગજ મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ કાયદાકીય મુશ્કેલીઓથી બચવા ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે. આ જ કારણે તેઓ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
જેડીએસ નેતાએ પત્રકારોને જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર વિખવાદ ચાલી રહ્યો છે. તેઓ જાણતા નથી કે, કોંગ્રેસની સરકાર ક્યારે પડશે. એક મંત્રી પોતાના વિરુદ્ધ કેસોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુમારસ્વામીએ વધુમાં કહ્યું કે, કેન્દ્રએ તે નેતા વિરુદ્ધ એવા કેસો નોંધ્યા છે, જેમાંથી બચવાની કોઈ સંભાવના નથી.