Israel Iran War : ચોથે દિવસે પણ ઇઝરાયેલે ઈરાન ઉપર મોત વરસાવ્યું ! હવાઈ હુમલાથી ભારે તબાહી, જાસુસી વડાનો ખાત્મો
ઈરાન અને ઇઝરાયેલા સતત ચોથા દિવસે એક બીજા પર હુમલા વધુ તીવ્ર બનાવ્યા હતા. રવિવારે રાત્રે ઇઝરાયેલે સમગ્ર ઈરાનને આવરી લેતા હવાઈ હુમલા કર્યા હતા જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની જાસુસી પાકના વડાનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ઇઝરાયેલે કરેલા હુમલાઓમાં ઈઝરાયેલમાં વધુ પાંચ નાગરિકો માર્યા ગયા હતા.
ઇરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનતું અટકાવવાના હેતુથી ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યા બાદ બન્ને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇઝરાયેલે અત્યાર સુધીમાં 1000 સ્ટ્રાઇક કરીને ઈરાનને ખેદાન મેદાન કરી નાખ્યું છે.ઇઝરાયેલી હુમલામાં ઈરાનના લશ્કરી વડા, રિવોલ્યુશનરી ગાર્ડના વડા, ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર સહિત લશ્કરના ટોચના 20 કમાન્ડો અને 13 અણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.ઇઝરાયેલે હીરાના ત્રણેય પરમાણુ મથકોને પણ નિશાન બનાવ્યા હતા અને શનિવારે ઈરાનના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ પર પણ હુમલો કર્યો હતો. સામા પક્ષે ઈરાને અત્યાર સુધીમાં 500 થી વધારે ડ્રોન અને મિસાઈલ વડે ત્રાટકી ઇઝરાયેલ ના અનેક શહેરોમાં ભારે ખાના ખરાબી સરજી છે. બે માંથી એક પણ પક્ષ પીછેહઠ કરવા તૈયાર ન હોવાને કારણે યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉપગ્રહ બનતું જાય છે. અમેરિકાએ ઇઝરાયેલના હુમલાને ઉચિત ગણાવી સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો : સ્વ.વિજયભાઈની વસમી વિદાય : હજારો રાજકોટવાસીઓ ભીની આંખે બોલ્યા,”તસવીર તમારી જોતા હૈયુ રડે છે”
મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકા સુરક્ષા દળો ઈરાનના મિસાઈલ એટેકને નિષ્ફળ બનાવવામાં ઇઝરાયેલ ની મદદ કરી રહ્યા છે. તો ચીન અને રશિયાએ ઇઝરાયેલના હુમલાની નિંદા કરી ઈરાનને સમર્થન જાહેર કર્યું છે.આ સંજોગોમાં બંને દેશો વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બને તો ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનો ખતરો
વિશ્લેષકો નિહાળી રહ્યા છે.
તેહરાન ખેદાન મેદાન: જાસુસી વડાનો ખાત્મો : રક્ષા મંત્રાલય પર ઇઝરાયેલી મિસાઈલ ત્રાટકી
ઈઝરાયલે રવિવારે ઈરાનમાં સરફેસ-ટુ-સરફેસ મિસાઈલ સાઈટ્સ પર હુમલો કર્યો હતો.ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસની યાદીમાં જણાવ્યા મુજબ તેહરાનમાં કુદ્સ ફોર્સ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ઈરાની સૈન્યની હથિયાર ઉત્પાદન સુવિધાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.તેહરાન ખાતેના ઈરાનના વિદેશ મંત્રાલયની ઈમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી.આ હુમલાઓમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ઈન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમી અને બે અન્ય અધિકારીઓ માર્યા ગયા હતા.
ઇસ્ફહાનમાં રક્ષા મંત્રાલય ખાતેનાં લશ્કરી થાણા ને પણ ઇઝરાયેલે તબાહ કરી નાખ્યું હતું. મસહાદ એરપોર્ટ પર એક એરિયલ રિફયુલીંગ વિમાનને નષ્ટ કરી દીધું હતું.ઈરાનમાં કુલ 224 લોકોના મૃત્યુ થયા છે અને 1200 લોકો ઘાયલ થયા છે.તેમાં 90 ટકા નિર્દોષ નાગરિકો હોવાનું ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઇઝરાયેલનું હૈફા બંદર ભડકે બળ્યું:તેલ અવિવમાં અનેક ઈમારતોને નુકસાન
ઈરાને પણ રવિવારે અને સોમવારે વહેલી સવારે ઈઝરાયલ પર 100 કરતાં વધારે ડ્રોન અને મિસાઈલો વડે હુમલો કરતાં સમગ્ર ઇઝરાયેલમાં રાત ભર સાયરાનો ગાજતા રહ્યા હતા. ઈરાની મિસાઈલો તેલ અવિવમા પણ ત્રાટકી હતી. એ હુમલામાં તેલ અવિવ ખાતેની અમેરિકી રાજદૂત કચેરીને પણ નુકસાન થયું હતું. એ ઘટના બાદ જેરૂસલેમ ખાતેની અમેરિકી કોન્સ્યુલેટ કચેરી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ હુમલામાં કેટલીક રહેણાક ઈમારતોને પણ નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. ઇરાનની બે હાઈપરસોનિક મિસાઈલો હૈફા પર ત્રાટકતાં આ અગત્યનું બંદર ભડકે બળ્યું હતું. બંદર પરના ઓઇલ ડેપોમાં આગ લાગતા સ્થિતિ ગંભીર બની હતી. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા.રવિવારે અને સોમવારે ઈરાને કરેલા હુમલામાં વધુ 8 ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ થયા હતા અને 87 ઘાયલ થયા હતા.એ સાથે જ ઇઝરાયેલનો મૃત્યુ આંક 24 થઈ ગયો હતો.